ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, પાપ્ત માહિતી અનુસાર, વાઘેલા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર
'રાજનીતિના બાપુ' જોડાશે કોંગ્રેસમાં
મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જોડાશે કોંગ્રેસમાં
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી છે. જેમાં અનેક નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરી શકે છે. શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમા જોડાઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ જોડાશે. ફરી વાર ખડગેની હાજરીમાં શંકરસિંહની કોંગ્રેસમા જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. પાપ્ત માહિતી અનુસાર, શંકરસિંહ બાપુ આવતીકાલે એટલે કે 12 ઓક્ટોબરના રોજ કોંગ્રેસમાં જોડાશે. તેઓ કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી.
મારી હાઈ કમાન્ડ સાથે ચાલી રહી છે વાતચીતઃ શંકરસિંહ
જોકે, થોડા સમયથી શંકરસિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી અને શંકરસિંહે પણ કહ્યું હતું કે, મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે. સુત્રો દ્વારા પાપ્ત માહિતી અનુસાર બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર હાઈકમાન્ડ પણ માની ગયું છે, દિલ્હી હાઈકમાન્ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે.
સાડા પાંચ વર્ષ બાદ કોંગ્રેસમાં એન્ટ્રી કરશે શંકરસિંહ બાપુ
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલા સાડા પાંચ વર્ષ બાદ ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. તેઓ 12 નવેમ્બરે કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ 2017ના રોજ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. જો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાય તેવી શક્યતા છે. જોકે, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા રી-એન્ટ્રીને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.