ન્યૂયોર્કથી દિલ્હી આવતા પ્લેનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં શંકર મિશ્રાએ એક મહિલા પર પેશાબ કર્યો હતો, જે બાદથી પોલીસ તેને શોધી રહી હતી
એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવાનો મામલો
દિલ્હી પોલીસે આરોપી S મિશ્રા બેંગલુરુથી ઝડપ્યો
પ્લેનમાં મુસાફરી કરી રહેલા શંકર મિશ્રાએ એક મહિલા પર પેશાબ કર્યો હતો
એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવાનો આરોપી S મિશ્રા બેંગલુરુથી ઝડપાયો છે. મહત્વનું છે કે, દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે. અગાઉ એયર ઈન્ડિયાનાં વિમાનમાં એક મહિલા યાત્રી પર પેશાબ કરવાનાં મામલે એયર ઈન્ડિયાએ પ્રતિક્રિયા આપી હતી કે, પીડિત મહિલાએ કાર્યવાહી માટેની પોતાની પ્રારંભિક વિનંતીને પાછી ખેંચી લીધેલ છે તેથી DGCAએ કાયદા અમલીકરણકર્તાઓને નથી બોલાવ્યું. જોકે હવે દિલ્હી પોલીસે આરોપી S મિશ્રાને બેંગલુરુથી ઝડપી પાડ્યો છે.
શું છે મામલો?
26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. આ પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં શંકર મિશ્રાએ એક મહિલા પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવી શરમજનક ઘટનાનો મામલો સામે આવ્યા બાદ DGCAએ કડકાઈ દાખવતા એર ઈન્ડિયાને પણ આ મામલે નોટિસ પાઠવી હતી.
આ પહેલા ગુરુવારે એર ઈન્ડિયાએ DGCAને એક રિપોર્ટ પણ સુપ્રત કર્યો હતો, જેમાં એરલાઈન્સે સ્પષ્ટતા કરી હતી કે, ઘટનાના એક મહિનાથી વધુ સમય પછી પણ ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી. મુંબઈના રહેવાસી શંકર મિશ્રા વેલ્સ ફાર્ગો કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હતા. આ કંપની અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા નિગમ સાથે સંકળાયેલી છે. દિલ્હી પોલીસે મિશ્રા વિરુદ્ધ જાતીય સતામણી અને અશ્લીલતાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
#UPDATE | S Mishra was arrested last night and has already been brought to Delhi. He will be presented before the court today: Delhi Police
એર ઈન્ડિયાએ મિશ્રા પર 30 દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. એર ઈન્ડિયાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે મામલો ઉગ્ર બન્યા બાદ મિશ્રા ધરપકડથી બચવા માટે મુંબઈ ભાગી ગયો હતો. દરમિયાન દિલ્હી પોલીસે તેને પકડવા માટે ટીમો બનાવી હતી.
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં વારંવાર બનતી આવી ઘટનાઓ પર કડકાઈ બતાવતા એરલાઈનના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને પ્લેનમાં કોઈપણ અયોગ્ય વર્તનની તાત્કાલિક જાણ કરવા સૂચના આપી છે. તેણે કહ્યું છે કે સ્પષ્ટપણે કેટલાક પાઠ છે જે આપણે શીખી શકીએ અને શીખવા જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે, જો અમારા પ્લેનમાં કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન જોવા મળે છે, તો અમારે શક્ય તેટલી વહેલી તકે અધિકારીઓને તેની જાણ કરવી જોઈએ. ભલે એવું લાગે કે કેસ સાથે સંકળાયેલા પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું છે. તેમણે કહ્યું કે આપણે આપણા વિમાનમાં અપેક્ષિત વર્તનના ધોરણો વિશે પણ સ્પષ્ટ હોવું જોઈએ અને આ ધોરણોનું પાલન ન કરનારાઓ સામે નિર્ણાયક અને સમયસર પગલાં લેવા જોઈએ. જો કે એવા ઘણા કિસ્સાઓ છે જેમાં અમે લોકો સામે કાર્યવાહિ કરી છે.