થરાદમાં ભાજપની આજે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને લઈને શંકર ચૌધરીએ અપીલ કરી છે કે કાવાદાવાની રાજનીતિ કરવા વાળા લોકો મને બદનામ કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયામાં ખોટી વાતો ફેલાવી રહ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું આપ્યું છે. એક ખેડૂત પુત્રને ભાજપે ચાર વખત ધારાસભ્ય બનાવ્યો. મને નાનામાંથી મોટો બનાવનાર ભાજપ જ છે. આજે હું જે કંઈ પણ છું, એ ભાજપના કારણે જ છું.