એક તરફ કોરોના વકર્યો છે તો બીજી તરફ ગુજરાતના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અને અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યૂ આપી દેવામાં આવ્યો છે તેમ છતાં આજે રાજકોટમાં શનિવારી બજાર ભરાયુ હતુ અને હેકડેઠેટ જનમેદની એકઠી થઈ હતી.
રાજકોટમાં શનીવારી બજારમાં જનમેદની ઉમટી
હજારો લોકો ખરીદી કરવા પહોંચ્યા બજારમાં
ભીડ ભેગી થતા મનપાના અધીકારીઓ પહોંચ્યા
રાજકોટમાં શનિવારી બજારમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. હજારોની ભીડ એકઠી થતા મહાપાલિકાના અધિકારીઓ તાબડતોડ શનિવારી બજાર પહોંચ્યા હતા. મનપા દ્વારા બજાર બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
હજારો લોકોની ભીડ એકઠી થતા પહોંચી RMCની ટીમ
રાજકોટમાં શનીવારી બજારમાં જનમેદની ભાન ભૂલીને ઉમટી પડી હતી. હજારો લોકો ખરીદી કરવા બજારમાં પહોંચ્યા હતા. ભીડ ભેગી થતા મનપાના અધીકારીઓ રાજકોટ પહોંચ્યા હતા. મનપા દ્વારા બજાર બંધ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. ભીડ ભેગી થતા કોરોના વધુ વકરવાની સંભાવના સેવાઈ રહી છે.
રાજકોટમાં રાત્રીકર્ફ્યૂ
કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કર્ફ્યુનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ થયું છે. આ જ રીતે આજથી 3 શહેરોમાં રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રીના 9 વાગેથી કર્ફ્યુ લાગૂ કરવામાં આવ્યું છે. લોકોને કોરોનાની ગાઇડલાઇનનું વ્યકિતગત પાલન કરવા સૌ જણાવી રહ્યાં છે. તેમજ પોલીસ અત્યારથી એલર્ટ થઇ ગઇ છે. કોઇપણ વ્યક્તિ કાયદો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં કર્ફ્યૂમાં શું ચાલુ રહેશે?
લગ્નપ્રસંગના આયોજનને આપી રાહત,મળશે મંજૂરી
સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર લોકો એકઠા થઈ શકશે
અંતિમવિધીમાં માત્ર 20 લોકોને મળશે મંજૂરી
રેલવે અને હવાઇ મુસાફરી કરનાર લોકોને મળશે છૂટ
તમામ તબીબી સેવાઓ કર્મચારીઓને મળશે છૂટ
અતિઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે
ATM -બેંકિગ સેવા ચાલુ રહેશે
દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે
દવાઓની હોમ ડિલીવરી કરતા કર્મચારીઓને મળશે છૂટ
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને મળશે છૂટ
ખાનગી સિક્યુરિટી સેવાઓ રહેશે ચાલું
અમદાવાદમાં શું બંધ રહેશે?
અમદાવાદમાં AMTS સેવા બંધ
અમદાવાદમાં એસટી સેવા બંધ
મેટ્રો ટ્રેન સેવા બંધ
દૂધ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો બંધ
કરિયાણાની દુકાનો પણ રહેશે
તમામ મોલ, મલ્ટીપ્લેક્સ બંધ
શહેરના તમામ માર્કેટ બંધ રહેશે
અમદાવાદ એક્સપ્રેસ હાઇવે બંધ
શહેરના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ
જીમ, સ્વીમિંગ પુલ, ક્લબ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ બંધ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત