આ વર્ષે મૌની અમાવસ્યા શનિવારે આવી રહી છે. તેથી આ શનિશ્ચરી અમાવસ્યા હશે. 21 જાન્યુઆરી 2023ના રોજ આવી રહેલી શનિશ્ચરી અમાસે કેટલાંક ઉપાય કરવાથી આર્થિક તંગીમાંથી છૂટકારો અપાવશે.
21 જાન્યુઆરીએ છે શનિશ્ચરી અમાસ
અમુક ઉપાય કરવાથી આર્થિક તંગીમાંથી મળશે છૂટકારો
જાણો, શનિશ્ચરી અમાવસ્યા પૂજા મુહૂર્ત
મૌની અમાવસ્યા અને શનિશ્ચરી અમાવસ્યા બંનેનુ વિશેષ મહત્વ
હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યા અને શનિશ્ચરી અમાવસ્યા બંનેનુ વિશેષ મહત્વ છે. આ વર્ષે માઘ મહિનાની મૌની અમાવસ્યા શનિવારે આવી રહી છે. હાલમાં શનિ ગ્રહનુ ગોચર થયુ છે. શનિએ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે આ શનિશ્ચરી અમાવસ્યા શનિની કૃપા મેળવવા માટે અન્ય ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ખૂબ ખાસ રહેશે.
શનિશ્ચરી અમાવસ્યા પૂજા મુહૂર્ત
માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 21 જાન્યુઆરી શનિવારે સવારે 6:17 થી શરૂ થઇને 22 જાન્યુઆરીએ રવિવારે સવારે 2:22 સુધી રહેશે. ઉદયાતિથિ મુજબ મૌની અમાવસ્યા અથવા શનિશ્ચરી અમાવસ્યા 21 જાન્યુઆરીએ રહેશે. મૌની અમાવસ્યાના દિવસે સ્નાન, દાન, તર્પણ અને પૂજા-પાઠ અવશ્ય કરો.
ગંગા સ્નાનથી મળશે અમૃત સ્નાન જેટલુ પુણ્ય
મૌની અમાવસ્યા અને શનિશ્ચરી અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવાનુ ઘણુ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી અમૃત સ્નાન કરવા જેટલુ પુણ્ય મળે છે. ખાસ કરીને જે લોકો પર શનિની મહાદશા ચાલી રહી છે, તેમણે આ દિવસે ગંગા સ્નાન સહિત અમુક ખાસ ઉપાય કરી લેવા જોઈએ. આમ કરવાથી શનિ દેવની અપાર કૃપા થાય છે અને બધા સંકટ ટળી જશે. શનિશ્ચરી અમાવસ્યા પર શનિને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરો.
શનિશ્ચરી અમાસના દિવસે સ્નાન અને દાન કરો. આમ કરવાથી ઘણી સુખ-સમૃદ્ધી મળે છે.
જે લોકો પિતૃ દોષના શિકાર છે, તેઓ શનિશ્ચરી અમાસે પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરો. આમ કરવાથી પિતૃઓના આશીર્વાદથી ઘરમાં સુખ-શાંતિ, પ્રગતિ, સમૃદ્ધી આવે છે. જો પવિત્ર નદીના કિનારે જઇને તર્પણ ના કરી શકો તો ઘર પર જ ચોખાની ખીર બનાવીને ગાયના છાણથી હવન કરીને ભોગ ધરાવો.