શનીદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જીવનમાં ઘટતી ઘટનાઓથી જાણી શકાય છે કે જીવનમાં એમની કૃપા દ્રષ્ટિ છે કે નકારાત્મક દ્રષ્ટિ.
શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે
શનિદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ છે કે નકારાત્મક દ્રષ્ટિ?
જીવનમાં ઘટતી ઘટનાઓથી જાણો શનિદેવ ખુશ છે કે નહીં
જીવનમાં થનારી મોટાભાગની ઘટનાઓ શનિ મહારાજ સાથે જોડવામાં આવે છે. જીવનમાં જો કંઈપણ ખરાબ થાય તો ગમે એ વ્યક્તિના મોઢામાંથી નીકળે છે કે શનિની સાડા સાતી ચાલી રહી છે. જો કે હંમેશા એવું નથી હોતું. શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે અને જો તમે જાણવા માગો છો કે શનિદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ છે કે નકારાત્મક દ્રષ્ટિ, તો આ સમાચાર તમારા કામની છે.
સફળતા
શનિદેવની કૃપાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તે તેમના ભક્તોને કીર્તિ, સંપત્તિ, પદ અને સન્માનનો લાભ આપે છે. જો શનિદેવની સકારાત્મક દ્રષ્ટિ કોઈપણ વ્યક્તિ પર પડે છે, તો તે રંકથી રાજા બની જાય છે અને તેના દરેક ખરાબ કામ સારા થવા લાગે છે.
કૃપા
જો શનિદેવ કોઈ વ્યક્તિ પર કૃપા વરસાવે છે તો આવા લોકોને સમાજમાં ઘણું માન-સન્માન મળે છે અને આવા લોકો કોઈ પણ મોટા અકસ્માતથી પણ કોઈને કોઈ રીતે બચી જાય છે. જો શનિદેવ દયાળુ હોય તો વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.નોકરી, ધંધામાં પ્રગતિ થવા લાગે છે.
નકારાત્મક દૃષ્ટિકોણ
જો કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા ન હોય તો આવા લોકોનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં સમસ્યાઓ દૂર થતી નથી. પૈસા પણ ખિસ્સામાં નથી રહેતા. ગમે તેટલી મહેનત કર્યા પછી પણ પૈસા બચતા નથી અને પ્રગતિના તમામ રસ્તા બંધ થઈ જાય છે.