શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, તેઓ તમામ લોકોના કાર્યોનો હિસાબ રાખે છે અને તે અનુસાર ફળ આપે છે. શનિવારે શનિદેવ મહારાજની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
શનિવારના દિવસે કરો આ ઉપાય.
આ ઉપાય કરવાથી ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.
શનિદેવની સાથે હનુમાનજીની પૂજા કરો.
શનિવારના દિવસે ભગવાન શનિદેવ અને હનુમાનજીની પૂજાનું વિધાન રહેલું છે. જે લોકો શનિવારે શનિદેવ મહારાજની પૂજા કરે છે, તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તમામ લોકોના મનમાં ભય રહે છે કે, લોકો પર શનિદેવની કુ-દ્રષ્ટી પડે છે, તેમનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે. શનિદેવની કુ-દ્રષ્ટીના કારણે રાજા પણ રંક બની શકે છે અને રંક પણ રાજા બની શકે છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, તેઓ તમામ લોકોના કાર્યોનો હિસાબ રાખે છે અને તે અનુસાર ફળ આપે છે. શનિદેવની નજરથી કોઈ બચી શકતું નથી. જે તમે પણ શનિદેવની કૃપા દ્રષ્ટી મેળવવા માંગો છો, તો શનિવારના દિવસે આ વિશેષ ઉપાયો જરૂરથી કરવા જોઈએ.
શનિવારના દિવસે આ ઉપાય કરો
પીપળાના ઝાડની પૂજા
શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો. જળ અર્પણ કરતા સમયે 'ऊं शं शनैश्चराय नम:' મંત્રનો જાપ કરો. માન્યતા અનુસાર પીપળાના ઝાડની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવની સાડેસાતીથી છુટકારો મેળવવા માટે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને આ ઝાડની ત્રણ વાર પરિક્રમા કરો. આ પ્રકારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
ભિક્ષુકોને દાન કરો
શનિવારના દિવસે ભિક્ષુક તમારી પાસે કંઈ માંગે તો તે એક શુભ સંકેત છે. આજના દિવસે તમને ભિક્ષુક જોવા મળે તો તેને જરૂરથી દાન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ તમારા પર કૃપા વરસાવી શકે છે. શનિવારના દિવસે ભિક્ષુકોને તેલથી બનેલ વસ્તુનું દાન કરો. અડદના દાળનું દાન કરવાથી પણ ફળ પ્રાપ્ત થાય છે.
હનુમાનજીની પૂજા
શનિવારના દિવસે શનિદેવની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરવી તે વધુ શુભ છે. બજરંગબળીની ઉપાસના કરવાથી શનિદેવની કૃપા દ્રષ્ટી તમારા પર રહે છે. શનિવારના દિવસે મંદિરમાં જઈને સુંદરકાંડના પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
શનિદેવને તેલ અને કાળા તલ અર્પણ કરો
શનિવારના દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો. શનિદેવને કાળા તલનું અર્પણ કરવાથી તે ફળદાયી સાબિત થાય છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારના દિવસે શનિ મંદિરમાં કાળા તલને સરસવના તેલમાં મિશ્ર કરીને શનિદેવને અર્પણ કરો.
આંગળીમાં લોખંડની વીંટી પહેરો
શનિવારના દિવસે લોખંડ ખરીદવું તે શુભ નથી. લોખંડની વીંટી પહેરવાથી શનિદેવની કૃપા દ્રષ્ટી પ્રાપ્ત થાય છે. જમણા હાથની વચ્ચેની આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી શનિ મજબૂત થાય છે. આ વીંટી ઘોડાની નાળમાંથી બનેલી હોવી જોઈએ.