શનિની સાડાસાતી કે ઢૈયા દરમિયાન શનિદેવ સારા કર્મોનું પણ ફળ આપે છે તેવી જ રીતે કેટલાક રાશિના જાતકો એવા છે કે જેમની પર શનિદેવ ક્યારેય ક્રોધિત થતા જ નથી
શનિદેવ છે ન્યાયના દેવતા
કર્મો અનુસાર આપે છે ફળ
ત્રણ રાશિના જાતકો પર હોય છે મહેરબાન
શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિદેવની દ્રષ્ટિ જેની પર પડે છે તે ખેદાનમેદાન થઇ જાય છે તેવુ આપણે ઘણીવાર સાંભળ્યુ છે. તેમાં પણ જેને સાડાસાતી અને ઢૈયાનો સમય થોડો કઠીન ગણાય છે. પરંતુ શનિની સાડા સાતી કે ઢૈયાથી ગભરાવવાની જરુર નથી. કારણ કે તમે જેવા કર્મો કર્યા હશે તે પ્રમાણે જ શનિદેવ ન્યાય કરશે. આ સમયગાળામાં તેઓ સારા કર્મોનું પણ ફળ આપે છે. પરંતુ શું તમને ખબર છે કે એવી પણ રાશિ છે જેના જાતકો પર શનિની હંમેશા દયાળુ દ્રષ્ટિ રહે છે. આ રાશિના જાતકોને શનિદેવ મહેરબાન રહે છે.
તુલા
આ શનિદેવની ઉચ્ચ રાશિ છે. તેથી આ રાશિ પર શનિ હંમેશા કૃપાળુ રહે છે. શનિ આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે. કહેવાય છે કે આ રાશિના લોકો ક્યારેય કોઈનું ખરાબ વિચારતા નથી. આ સિવાય આ રાશિના લોકો પર શનિની કૃપા રહે છે.
મકર
શનિ આ રાશિનો અધિપતિ ગ્રહ છે. આ રાશિના લોકોને પોતાની મહેનતથી બધું જ મેળવે છે. એટલા માટે શનિદેવ આ લોકોને સાથ આપે છે. આ લોકો બીજાની મદદ કરવામાં હંમેશા આગળ હોય છે. શનિની સાડાસાતી અને શનિની ઢૈયાની કોઇ અસર થતી નથી.
કુંભ રાશિ
આ રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવે છે. આ રાશિના લોકો પર શનિદેવ હંમેશા કૃપાળુ રહે છે. જેના કારણે તેમના પર શનિની ખરાબ દ્રષ્ટિ નથી પડતી. આ રાશિના લોકો ક્યારેય બીજાનું ખરાબ કરતા નથી, તેઓ દરેક લોકો સાથે પ્રેમથી વર્તે છે.
શનિદેવે કર્યો છે કુંભ રાશિમાં પ્રવેશ
ન્યાયના દેવતા શનિદેવ 28 એપ્રિલે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના જન્મપત્રકમાં સ્થાનના આધારે શુભ કે અશુભ પરિણામ નક્કી કરે છે. આ સાથે વ્યક્તિના વર્તમાન કર્મના આધારે શુભ અને અશુભ પરિણામ પણ નક્કી કરે છે. શનિદેવ પોતાની રાશિ કુંભમાં રહીને કર્મ પ્રદાન કરનાર તરીકે કામ કરશે. તે સ્પષ્ટ છે કે જો જન્મપત્રકમાં પરિસ્થિતિ સારી નથી અને વર્તમાન કર્મ પણ ખરાબ છે, તો શનિદેવ જીવનને સુધારવા માટે ચોક્કસપણે વધુ અવરોધો અથવા તણાવ આપશે. તેથી જો શનિદેવના શુભ પરિણામોમાં વધારો કરવાની ઈચ્છા હોય તો વર્તમાન કર્મ સારી રીતે કરવા જોઈએ.
કર્મોને આધારે શનિદેવ આપે છે ફળ
કોઈ પણ કામ તમે ખોટી રીતે અથવા તણાવમાં આવીને કરશો, કે પછી છેતરપિંડીદ્વારા પૈસા કમાશો તો ખોટા કાર્યોથી મેળવેલી સિદ્ધ તમારા તણાવમાં વધારો કરશે. કારણ કે શનિદેવ ન્યાયાધીશ છે, તેથી પરિણામ પણ તમારા કર્મના આધારે નક્કી થશે. આ વાતને ધ્યાનમાં રાખીને જો તમે ઈમાનદારીથી ઘણી મહેનત કરશો તો ચોક્કસથી શુભ પરિણામ મળશે. ત્યારે શનિનું કુંભ રાશિમાં પરિવર્તન બે રાશિનો માટે પોઝિટીવ પ્રભાવ આપનારુ છે.