5 મહિના સુધી શનિ વક્રી રહેશે. આ પરિસ્થિતિમાં જાતકોના જીવનમાં કેટલીક શુભ તથા અશુભ અસર જોવા મળી શકે છે.
શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે
5 મહિના સુધી શનિ વક્રી રહેશે
આ રાશિના જાતકોએ સાવધાન રહેવુ
શનિદેવ 17 જૂનના રોજ રાત્રે 10:48 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થશે અને 4 નવેમ્બર 08:26 વાગ્યા સુધી આ અવસ્થામાં રહેશે. 5 મહિના સુધી શનિ વક્રી રહેશે. આ પરિસ્થિતિમાં જાતકોના જીવનમાં કેટલીક શુભ તથા અશુભ અસર જોવા મળી શકે છે. શનિ વક્રી દરમિયાન કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
મેષ-
શનિ વક્રી દરમિયાન વધુ મહેનત કરવી પડી શકે છે. આરોગ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. શારીરિક તથા ભાવનાત્મક તણાવ ઉત્પન્ન થઈ શકે છે. વેપારી વર્ગ પર ખૂબ જ ઓછી અસર થશે.
કર્ક-
શનિ અષ્ટમ ભાવમાં છે, તેથી કર્ક રાશિના જાતકોએ સાવધાન રહેવું. આ રાશિના જાતકો ખૂબ જ મહેનત કરશે, પરંતુ મહેનતનું પરિણામ પ્રાપ્ત નહીં થઈ શકે છે. આરોગ્ય બાબતે સાવધાન રહેવું જોઈએ, ખાસ કરીને વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું. આ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
તુલા-
આ રાશિના જાતકો માટે શનિ વક્રી લાભકારી સાબિત નહીં થઈ શકે. નોકરી બદલવાના વિચારને ટાળી દેવા જોઈએ. ભવિષ્યમાં પુરસ્કાર પ્રાપ્ત થઈ શકે છે. માતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
કુંભ-
શનિ આ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે, જેના કારણે માનસિક તણાવ થઈ શકે છે. આ દરમિયાન ઉતાવળમાં કોઈપણ નિર્ણય ના કરવો જોઈએ, નહીંતર બાદમાં પસ્તાવું પડી શકે છે. વૈવાહિક જીવનમાં અનેક પરેશાનીઓ આવી શકે. આરોગ્ય પ્રત્યે સાવધાની દાખવવી જોઈએ.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)