17 જૂનના રોજ શનિ વક્રી થવાથી શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શશ રાજયોગના કારણે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે.
શનિ વક્રી થવાથી શશ રાજયોગનું નિર્માણ
ત્રણ રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળી શકે છે
સંબંધોમાં સુધારો થશે
17 જૂનના રોજ શનિ વક્રી થવાથી શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શશ રાજયોગના કારણે સિંહ, વૃશ્વિત અને કુંભ રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળી શકે છે.
સિંહ- શશ રાજયોગના કારણે સિંહ રાશિના જાતકોને ફાયદો થશે. નોકરિયાત વર્ગનો ઓફિસમાં પ્રભાવ વધી શકે છે. ઓફિસમાં સારો સમય પસાર થશે. કામમાં મન પરોવાશે. સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. સંબંધોને પ્રાથમિકતા આપવામાં આવશે, જેના કારણે સંબંધોમાં સુધારો થશે.
વૃશ્વિક- શનિદેવની અપાર કૃપા પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિના કારણે લાભ થઈ શકે છે. નાણાંકીય લાભ થવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. આવકમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ.
કુંભ- શનિ દેવ આ રાશિમાં જ હોવાથી તમને લાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. હાલના સમયે તે જે પણ નવા કામ કરવા માંગો છો, તેનાથી તમને ફાયદો થઈ શકે છે. ઓફિસમાં સફળતા પ્રાપ્ત થવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને લાભ થઈ શકે છે. નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે.
જે લોકો પર શનિદેવનો દુષ્પ્રભાવ હોઈ શકે છે, તે લોકોએ શનિવારનું વ્રત કરીને શનિદેવની પૂજા કરવી અને શનિ બીજ મંત્રનો જાપ કરવો. શનિદેવની કૃપાથી તમામ કષ્ટ દૂર થશે અને બિમારીથી મુક્તિ મળશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)