શનિ દેવની ખરાબ નજર તમને બરબાદ કરી શકે છે. પરંતુ જો શનિ શુભ હોય તો ભિખારીને રાજા બનાવી શકે છે. કર્મો મુજબ ફળ આપનારા દેવ શનિ 5 જૂનથી કુંભ રાશિમાં વક્રી થઇ રહ્યાં છે. શનિ 30 વર્ષ બાદ તેમની રાશિ કુંભમાં છે. તેઓ 141 દિવસ સુધી ઉલ્ટી ચાલ ચાલશે.
શનિ દેવ 5 જૂનથી કુંભ રાશિમાં વક્રી થઇ રહ્યાં છે
શનિ 12 જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કરશે
અમુક રાશિના જાતકો માટે શુભ અને અશુભ સાબિત થશે
આ રાશિ પર મહેરબાન થશે વક્રી શનિ
આ દરમ્યાન શનિ 12 જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિની સ્થિતિમાં આ મોટા ફેરફાર અમુક રાશિના જાતકો માટે શુભ અને અમુક માટે અશુભ સાબિત થશે. મેષ, વૃષભ, મિથુન અને ધન રાશિના જાતકો માટે વક્રી શનિ શુભ સાબિત થશે. આ જાતકોને આ દરમ્યાન કારકિર્દી-વ્યાપારમાં લાભ થશે. આવક વધશે. કોઈ મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે.
આ રાશિના જાતક 141 દિવસ સુધી શનિથી રહે સાવધાન
અત્યારે મકર, કુંભ, મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તો કર્ક અને વૃશ્વિક રાશિ પર ઢૈયાની દશા ચાલી રહી છે. એવામાં તેના પર શનિની વિશેષ નજર રહેશે અને એવા જાતકોએ ઘણા મામલે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ જાતકો પર શનિની ઉલ્ટી ચાલ તેની મુશ્કેલીઓમાં વધારો કરશે. એવામાં આ લોકોએ સાવધાન રહેવુ જોઈએ. આ સાથે શનિદેવની પીડામાંથી છૂટકારો મેળવવા માટે ઉપાય કરવા જોઈએ.
શનિવારથી શરૂ કરો શનિના ઉપાય
શનિના પ્રકોપમાંથી બચવા માટે અને શનિની કૃપા મેળવવા માટે જ્યોતિષમાં અમુક સરળ પરંતુ પ્રભાવી ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાયને કરવા માટે શનિવારનો દિવસ ઉત્તમ માનવામાં આવ્યો છે. કારણકે શનિવાર શનિ દેવને સમર્પિત છે. જો સમસ્યા વધુ હોય તો આ ઉપાય દરરોજ કરવાથી મોટી રાહત મળશે.
શનિ દેવની કષ્ટિમાંથી રાહત મેળવવા માટે શનિવારે પીપડાના વૃક્ષની નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવો. શનિ મંદિર જઇને શનિદેવને તેલ અર્પણ કરી શકો છો. પરંતુ ક્યારેય પણ મૂર્તિની સામે ઉભા ના રહો. પરંતુ બાજુમાંથી દર્શન કરો અને તેલ ચઢાવો.