જ્યોતિષમાં શનિદેવની સાડાસાતી અને ઢૈયા વધુ કષ્ટકારી માનવામાં આવે છે. જો કોઈ જાતકની કુંડળીમાં શનિ સારા ભાવમાં રહે છે તો વ્યક્તિને મોટામાં મોટુ પદ પ્રાપ્ત થાય છે. જે જાતકોની ઉપર સાડાસાતી ચાલે છે તેમના જીવનમાં આર્થિક નુકસાનની સંભાવના હોય છે.
શનિદેવની સાડાસાતી અને ઢૈયા વધુ કષ્ટકારી માનવામાં આવે છે
આ રાશિના જાતકો પર શનિની સાડાસાતીની અસર થતી નથી
આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા હંમેશા રાખે છે
શનિની સાડાસાતીથી આ રાશિઓને થાય છે લાભ
આવો જાણીએ કે શનિની સાડાસાતીથી કઈ રાશિઓને લાભ થશે. શનિ દેવને ન્યાય પ્રિય કહેવામાં આવે છે. શનિદેવ જેની સ્વયં ભગવાન ભોલેનાથે દંડાધિકારી તરીકે નિમણુંક કરી છે. તેમનુ નામ આવતા જ લોકો પરેશાન થાય છે. શનિ દેવ કર્મફાળા દાતા ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિગ્રહનુ વિશેષ મહત્વ હોય છે. શનિ દેવ 12 રાશિઓમાંથી 5 રાશિના જાતકો પર પોતાની કૃપા હંમેશા રાખે છે. આવો જાણીએ કે શનિની સાડાસાતીથી કઈ રાશિઓને લાભ થાય છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર હોય છે અને શનિ દેવ શુક્રની રાશિમાં યોગ કારક ગ્રહ માનવામાં આવે છે. જેના કારણે શનિદેવ વૃષભ રાશિના જાતકોને વધારે કષ્ટ આપતા નથી. વૃષભ રાશિના જાતકો પર શનિ દેવની અસીમ કૃપા રહે છે.
ધન રાશિ
ધન રાશિના સ્વામી ગ્રહ દેવગુરૂ બૃહસ્પતિ હોય છે. શનિ અને ગુરૂ ગ્રહ બંનેનો એકબીજા વચ્ચે મિત્રતાનો ભાવ રાખે છે. જેના કારણે શનિ દેવ ધન રાશિના જાતકો પર વિશેષ મહેરબાન રહે છે. શનિની સાડાસાતી અને ઢૈયા ધન રાશિના જાતકોને વધુ કષ્ટ આપતી નથી. શુભ સ્થિતિમાં શનિ દેવ ધન રાશિના જાતકોને અપાર ધન-દોલત અને સુખ-સમૃદ્ધી આપે છે.
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, તુલા રાશિ શનિદેવની ઉચ્ચ રાશિ છે. શનિદેવ તુલા રાશિમાં હંમેશા સારા પરિણામ આપે છે. તુલા રાશિમાં જો બાકી ગ્રહ અનુકૂળ હોય તો શનિદેવ દરેક પ્રકારની સુખ-સુવિધા પ્રદાન કરે છે. શનિની સાડાસાતી અને ઢૈયા હોવાથી તુલા રાશિના જાતકોને વધારે કષ્ટ ઉપાડવા પડતા નથી.
મકર રાશિ
શનિદેવ મકર રાશિના સ્વામી હોય છે. મકર રાશિ શનિદેવની પ્રિય રાશિઓમાંથી એક રાશિ હોય છે. જ્યારે પણ મકર રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા હોય છે તો શનિદેવ આ રાશિના જાતકોને વધુ કષ્ટ આપતા નથી. મકર રાશિમાં શનિની શુભ દ્રષ્ટિ હોવાથી સૌથી વધુ શુભ ફળ આ રાશિના જાતકોને મળે છે. શનિદેવ મકરના જાતકો પર હંમેશા પોતાની કૃપા રાખે છે.