માનવામાં આવે છે કે સૂર્ય પુત્ર શનિદેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. આ મકર અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે. જે 24 જાન્યુઆરીથી પોતાના સ્વામીની રાશિ મકરમાં ગોચર કરી રહ્યો છે. શનિદેવ ન્યાયના દેવ છે. ભગવાન શિવે નવગ્રહોના ન્યાયાધીશનું કામ સોંપ્યું છે. કહેવાય છે કે શનિની સાડાસાતીના રૂપમાં વ્યક્તિને કર્મો અનુસાર ફળ મળે છે. શનિથી મુક્તિ મેળવવા માટે આ ઉપાયો જો શ્રાવણ મહિનામાં કરાય તો લાભદાયી રહે છે.
3 રાશિના જાતકોને નડી રહી છે શનિની સાડાસાતી
મુક્તિ માટે આ ખાસ ઉપાય આપશે લાભ
આ મંત્રના જાપથી મળશે પુણ્ય
કઈ 3 રાશિ પર છે શનિની સાડાસાતી
અત્યારે કુંભ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ છે. મકર અને ધન રાશિના જાતકો પહેલાંથી તેના પ્રભાવમાં છે. 24 જાન્યુઆરીથી શનિના મકરમાં આવતાં જ ધન રાશિના જાતકો પર તેનું અંતિમ ચરણ શરૂ થયું છે તો મકર રાશિ પર અને કુંભ રાશિના જાતકો પર પહેલાં ચરણની શરૂઆત થઈ છે.
કરો આ ખાસ મંત્રનો જાપ
શનિને મજબૂત કરવા માટે શનિ વૈદિક મંત્ર ओम शन्नोदेवीर-भिष्टयआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः નો શક્ય તેટલો વધારે જાપ કરવો.
શનિને શાંત કરવાના આ છે ખાસ ઉપાય
શનિની આરાધના માટે શ્રાવણ મહિનાની પસંદગી એટલા માટે કરાય છે કેમકે તે ભગવાન શિવનો પસંદગીનો સમય છે. આ સમયે શિવની આરાધના કરવાથી શનિ દોષથી રાહત મળી શકે છે.
શનિવારે કરો આ ખાસ ઉપાય
શનિવારે પીપળાના ઝાડને પાણી ચઢાવવાથી શનિની કૃપા વરસે છે. માન્યતા એવી પણ છે કે શ્રાવણના શનિવારે એક પાનમાં લોઢાની ખીલી, કાળા તલ અને એક રૂપિયો રાખીને શનિદેવને ચઢાવવાથી શનિની ખરાબ અસર થતી નથી.
આ સિવાય મંગળવારે કરો આ કામ
શ્રાવણના મંગળવારે ભગવાન શિવની સાથે હનુમાનજીની પૂજાથી લાભ મળશે. શનિદેવ પ્રસન્ન થશે. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે હનુમાન તાલીસાનો પાઠ કરો. શનિને મજબૂત કરવા માટે શનિ વૈદિક મંત્ર ओम शन्नोदेवीर-भिष्टयआपो भवन्तु पीतये, शं योरभि सर्वन्तु नःનો જાપ કરો. શિવ સહસ્ત્રનામ કે શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરો. ભગવાન શિવનું પંચાક્ષર મંત્ર નમઃ શિવાય છે. આ મંત્ર ઓમ લગાવીને ષોડક્ષર બનાવી તેનો જાપ કરી શકાય છે. અને તે ઓમ નમઃશિવાય બને છે.