જ્યોતિષમાં શનિની વિશેષ ભૂમિકા હોય છે. શનિના સારા અને ખરાબ પ્રભાવથી વ્યક્તિને અનેક તકલીફો અને આનંદ મળી શકે છે. શનિ ન્યાયપ્રિય ગ્રહ કહેવાય છે. 24 જાન્યુઆરી 2020થી શનિ મકર રાશિમાં ભ્રમણ પર છે. આ જગ્યાએ શનિ અઢી વર્ષ સુધી રહેશે. શનિના કોઈ એક રાશિમાં રહેવાથી અન્ય અનેક રાશિ પર પ્રભાવ પડી શકે છે. શનિની સાડાસાતી દૂર કરવા કરી લો આ ઉપાયો.
શનિનું મકર રાશિમાં પરિભ્રમણ
શનિની સાડાસાતીની થાય છે વિપરિત અસરો
શનિની સાડા સાતી દૂર કરવાના છે આ ઉપાયો
માન્યતા છે કે જે વ્યક્તિ હનુમાન ભક્તિમાં રહે છે તેની પર ક્યારેય પણ શનિની અશુભ છાયા રહેતી નથી. એવામાં શનિને પ્રસન્ન કરવા માટે મંગળ અને શનિવારે હનુમાનજીની વિશેષ આરાધના કરવી જોઈએ.
શનિની અશુભ છાયાથી બચવા માટે કોઈ સારા જ્યોતિષીની સલાહ લઈને નીલમ રત્ન પહેરવો.
શનિની સાડા સાતી કે ઢૈયાથી બચવા માટે પ્રભાવિત જાતકોએ કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવું જોઈએ નહીં.
સાંજના સમયે કાળા તલનો દીવો કરવો. તેનાથી શનિ દોષ દૂર થાય છે. જે જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે તેઓએ આ ઉપાયો અચૂક કરવા જોઈએ.
શનિ મંત્રનો નિયમિત જાપ કરવાથી પણ શનિના અશુભ પ્રભાવને દૂર કરી શકાય છે.
દર શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવના દર્શન કર્યા બાદ ગરીબોને દાન કરવું જોઈએ.