શનિદેવની ચાલ અત્યંત ધીમી હોય છે. તેઓ એક રાશિમાં ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી રહે છે. એવામાં દરેક રાશિના જાતકો પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ રહે છે. આ દરમ્યાન જાતકને અનેક પ્રકારની પરેશાનીમાંથી પસાર થવુ પડે છે.
શનિની સાડાસાતી અને ઢૈયા દરમ્યાન આ કામ બિલ્કુલ ના કરશો
નહીંતર તમારે અનેક પ્રકારની પરેશાનીમાંથી પસાર થવુ પડશે
શનિ પીડામાંથી મુક્ત થવા કયા ઉપાય કરવા જોઈએ?
શનિની સાડાસાતી અને ઢૈયા હોય છે ખૂબ ભારે
શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ માણસને તેના સારા અને ખરાબ કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની ચાલ અન્ય ગ્રહોની તુલનામાં ઘણી ધીમી હોય છે. શનિ એક રાશિમાં ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી રહે છે. એવામાં શનિને ફરીથી એક રાશિમાં પહોંચવામાં 30 વર્ષનો સમય લાગે છે. આ દરમ્યાન અમુક રાશિઓને શનિની સાડાસાતી અને ઢૈયાનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતી અને ઢૈયામાં અમુક કામ એવા છે, જેને ભૂલથી પણ ના કરવા જોઈએ. નહીંતર નુકસાન ઉઠાવવુ પડી શકે છે.
અઢી વર્ષનો તબક્કો
શનિનો દરેક તબક્કો અઢી વર્ષનો હોય છે. પહેલા તબક્કામાં જાતકને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. બીજા તબક્કામાં તેને નાણાંકીય અને શારીરીક વેદનાઓ ભોગવવી પડે છે. જ્યારે ત્રીજા તબક્કામાં પણ વધુ મુશ્કેલી થાય છે. શનિની સાડાસાતી અને ઢૈયામાં વધુ મુશ્કેલી ના પડે તેના માટે અમુક ઉપાય કરી શકાય છે.
ઉપાય
શનિવારના દિવસે લોખંડ, કાળી અડદની દાળ, તલ અથવા કાળા કપડાનુ દાન કરવુ જોઈએ. આ દરમ્યાન હનુમાનજીની પૂજા કરવાથી સારું રહે છે. જેનાથી શનિદેવ શાંત રહે છે. આ પીરિયડમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરીને ઘર અથવા શનિ મંદિરમાં શનિદેવની પૂજા કરો.
સાવધાની
શનિની સાડાસાતી દરમ્યાન કોઈ પણ સાથે વાદ-વિવાદ ના કરો. વાહન ચલાવતી સમયે વધુ સાવધાની રાખો. શનિવાર અને મંગળવારે કાળા રંગના કપડા ના ખરીદો અને પહેરશો પણ નહીં. શનિવાર અને મંગળવારના દિવસે માંસાહાર અને દારૂનુ સેવન ના કરો.