23 મેના રોજ શનિ વક્રી થવાના કારણે ધન રાશિના લોકોને મુશ્કેલીઓ વધી રહી છે. આ સાથે જાણો ક્યારે મુક્તિ મળશે અને શું છે તેમના ઉપાયો.
ધન રાશિ પર ચાલી રહી છે શનિની સાડા સાતી
શનિ વક્રી થવાના કારણે વધી શકે છે મુશ્કેલીઓ
જાણો શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો
ધન રાશિના લોકો પર શનિ સાડા સાતીનું આખરી ચરણ ચાલી રહ્યું છે. આ ચરણમાં વ્યક્તિને માનસિક, શારિરીક અને આર્થિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. કાર્યોમાં બાધાઓ આવવા લાગે છે. તેનાથી કોઈ કામ સમયસર પૂરું થઈ શકતું નથી. કોર્ટ કચેરીના આંટા થઈ શકે છે. 23મેના રોજ શનિના વક્રી થવાથી ધન રાશિને કષ્ટ વધી શકે છે. તો જાણો ક્યારે મળી શકશે મુશ્કેલીમાંથી રાહત.
ધન રાશિના લોકોને શનિની સાડા સાતીમાંથી આવતા વર્ષે મળશે મુક્તિ
ધન રાશિના લોકોને શનિની સાડા સાતીથી મુક્તિ 2022માં મળી શકે છે. શનિ 29 એપ્રિલ 2022માં કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેનાથી મીન રાશિ પર શનિની સાડા સાતી શરૂ થશે તો ધન રાશિના પ્રકોપથી મુક્ત થશો. વર્ષ 2022માં એક વાર ફરીથી ધન રાશિના લોકો શનિની સાજા સાતીની ઝપેટમાં આવી જશે.
શનિની ચાલ 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે
12 જુલાઈ 2022માં શનિ પોતાની વક્રી ચાલ શરૂ કરશે. તેનાથી એક વાર ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિની ચાલ 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે. ધન રાશિના લોકોને પૂર્ણ રૂપથી મુક્તિ 2023માં મળશે. તેનાથી શનિના પ્રભાવથી તમારા રોકાયેલા કામમાં વેગ મળી જશે.
શનિના ખરાબ પ્રભાવથી બચવાના ઉપાયો
શનિની સાડા સાતીથી પીડિતે દરેક શનિવારે શનિ મંદિરમાં જઈને શનિ દેવની મૂર્તિની સામે સરસિયાના તેલનો દીવો કરવો. ભોજનમાં સિંધવ મીઠાનું વધારે ને વધારે સેવન કરો. માંસ મદિરાના સેવનથી દૂર રહો. રોજ પૂજાના સમયે મહામૃત્યુંજયનો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. જરૂરિયાત મંદની મદદ કરો. પીપળા પર જળ ચઢાવો. શનિવારના દિવસે કાળી દાળ, કાળા કપડા અને સરસિયાના તેલ અને કાળા તલનું દાન કરી શકો છો.