શનિદેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા માનવામાં આવ્યાં છે. શનિદેવ દરેક માણસને તેના કર્મ મુજબ ફળ આપે છે. આવતીકાલે 12 જુલાઈ 2022ના રોજ શનિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ શનિ ગોચર 5 રાશિના જાતકોના જીવનમાં સાડા સાતી અને ઢૈયાનો મુશ્કેલ સમય લાવશે.
12 જુલાઈ 2022ના રોજ શનિ મકર રાશિમાં કરશે પ્રવેશ
શનિ ગોચર 5 રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલ સમય લાવશે
શનિની સાડાસાતી અને ઢૈયા શરૂ થશે
આ રાશિના જાતકો માટે કપરો સમય થશે શરૂ
શનિ અત્યારે કુંભ રાશિમાં છે અને વક્રી સ્થિતિમાં છે. વક્રી ચાલને પગલે હવે શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. 12 જુલાઈ 2022ના રોજ શનિ મકર રાશિમાં ગોચર દરેક 12 રાશિઓ પર મોટી અસર પાડશે. જેમાંથી 5 રાશિના જાતકો માટે હાલનો સમય વિશેષ રીતે કષ્ટદાયી સાબિત થઇ શકે છે. મકરમાં શનિનો ગોચર આ રાશિ પર શનિની સાડાસાતી અને ઢૈયા શરૂ કરશે. આ સ્થિતિ જાન્યુઆરી 2023 સુધી યથાવત રહેશે કારણકે શનિ ત્યાં સુધી મકર રાશિમાં જ રહેશે.
આ પાંચ રાશિના જાતકો પર શરૂ થશે શનિની મહાદશા
શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ પાંચ રાશિના જાતકો પર સાડાસાતી અને ઢૈયા શરૂ થશે. તો અમુક રાશિના જાતકોને શનિની મહાદશામાંથી રાહત પણ મળી જશે. મકરમાં શનિનો ગોચર ધન રાશિ પર સાડાસાતી શરૂ કરશે. આ સાથે કુંભ અને મકર રાશિના જાતકોને સાડાસાતીનો કહેર સહન કરવો પડશે. આ ઉપરાંત મિથુન અને તુલા રાશિના જાતક શનિની ઢૈયા ભોગવશે. તો કર્ક અને વૃશ્વિક રાશિમાંથી ઢૈયા હટવાથી મોટી રાહત મળશે.
સાડાસાતી અને ઢૈયા જાતકને દુ:ખ આપે છે
શનિની સાડાસાતી અને ઢૈયા જાતકને વધુ કષ્ટ આપે છે. શનિની ખરાબ નજર માણસને આર્થિક, શારીરીક અને માનસિક ત્રણેય પ્રકારના તાપ આપે છે. માણસની સફળતાના રસ્તા બંધ થઇ જાય છે. ભાગ્ય પણ સાથ આપતુ નથી. ધનહાનિ થાય છે, આરોગ્ય અને સંબંધો પર ખરાબ અસર પડે છે, માણસ તણાવમાં જઇ શકે છે.