શનિનું પ્રતિકુળ રહેવું કષ્ટદાયક હોઇ શકે છે. આવામાં શનિગ્રહના દોષ દુર કરવા માટો ઉપાય કરવા પડે છે.
આ સંકેત દેખાય તો છે શનિની છાયા
શનિદેવના પ્રકોપથી બચવાના ઉપાય
કાળા કપડા દાન કરવાથી મળશે રાહત
જે લોકોની કુંડળી નથી અથવા જે લોકો શનિગ્રહના દોષને લઇને અજાણ છે તે લોકોએ આ સંકેતોથી જાણવું કે તેમના પર શનિની અશુભ છાયા છે અને આ રીતે તેને દૂર કરી શકાય છે.
આ ઘટનાઓ આપે છે સંકેત
શનિની અશુભ છાયાના કારણે વ્યક્તિને પગથી સંબંધિત રોગ થઇ શકે છે
વ્યક્તિની ક્ષમતાથી વધારે કામ કરવુ તે બાદ પણ તેને શ્રેય ન મળવો
સતત આર્થિક નુકસાન થવું કે કામ બગડી જવું
ઘરમાં પાલતૂ જાનવર હોય તેનું મોત થઇ જવું
બહુ મહેનત કરવા છતાં પણ ફળ ન મળવું
કોઇકના ખોટા આરોપના કારણે કોર્ટના ધક્કા ખાવા
નોકરીના સ્થળ પર મુશ્કેલીઓનો સામનો કરવો
ઘરમાંથી મોંઘી વસ્તુ ખોવાઇ જવી કે ચોરી થઇ જવી
ઘરની દિવાલ પર વારંવાર પીપળાનો છોડ ઉગવો
કીડીઓનું આવવું પણ શનિના દુષ્પ્રભાવનો સંકેત છે
શનિદેવના પ્રકોપથી બચવાના ઉપાય
રોજ હનુમાન ચાલીસા વાંચો અને કાગડાને રોટલી ખવડાવો
ભિખારી, નિર્બળને મદદ કરો અને દાન આપો
તળ, અડદ, ભેંસ, લોખંડ, તેલ, કાળા કપડાનું દાન કરવાથી પણ રાહત થાય છે
શનિવારે એક વાટકીમાં તલનું તેલ લઇને તેમાં પોતાનું મોઢુ જુઓ બાદમાં તેને શનિ મંદિરમાં મૂકી આવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.