શનિ 23 મેના રોજ વક્રી થવા જઈ રહ્યો છે. આ સમયે શનિની ઉલ્ટી ચાલ શનિની સાડા સાતી અને ઢૈય્યાથી પીડિત લોકોને ફાયદો આપનારી સાબિત થશે. તો જાણો કઈ રાશિઓના લોકોને થશે મોટો ફાયદો.
23 મેના રોજ શનિ થઈ રહ્યો છે વક્રી
શનિની સાડા સાતી અને ઢૈય્યાથી પીડિત લોકોને થશે ફાયદો
જાણો કઈ રાશિઓને થશે મોટો ફાયદો
23મેના રોજ શરૂ થઈ રહેલી શનિની ઉલ્ટી ચાલ પણ અનેક રાશિને માટે ફાયદો લાવશે. શનિ જે રાશિમાં ગોચર કરે છે તેમાં પાછળની તરફ ચાલે છે. આ સમયને શનિનું વક્રી થવું માનવામાં આવે છે. શનિની વક્રી ચાલ શનિની સાડા સાતી અને ઢૈય્યાથી પીડિત લોકોના ફાયદો આપનારી માનવામાં આવે છે.
કઈ રાશિના લોકો પર ચાલી રહી છે શનિની સાડા સાતી
ધન, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તેના 3 ચરણ હોય છે. શનિ સાડા સાતીના આ ચરણ કેટલાક લાભ આપનારા સાબિત થાય છે. મકર રાશિ પર તેનું બીજું ચરણ અને કુંભ રાશિ પર પહેલું ચરણ ચાલી રહ્યું છે. શનિના વક્રી થવાના કારણે આ 3 રાશિના લોકોની મુશ્કેલી વધી રહી છે. આ સમયે કોઈ નવું કામ શરૂ ન કરવાની અને કોઈ ખાસ રોકાણ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.
કઈ રાશિના લોકો પર ચાલી રહી છે શનિની ઢૈય્યા
હાલમાં મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. રાહતની વાત એ છે કે તેમના માટે 2022માં શનિ બદલાતા શનિની ઢૈય્યાથી જલ્દી રાહત મળી શકે છે. હાલમાં તો શનિના વક્રી થવાથી તમારા કષ્ટમાં વધારો થઈ શકે છે. અચાનક તમારા કામ બગડશે અને સફળતા માટે તમારે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ બની રહી છે. માનસિક ચિંતામાં પણ વધારો થઈ શકે છે.
જાણો શનિદેવના પ્રકોપથી બચવાના ઉપાયો પણ
શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો. શનિના મંત્રનો જાર કરો. શનિનો મંત્ર છે ઓમ શં શનૈશ્ચરાયૈ નમઃ, ઓમ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનિશ્વરાય નમઃ, ઓમ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે, શં યોરભિ સવંતુ નઃ. આ સિવાય તમે માટીના વાસણમાં સરસિયાનું તેલ લઈને તેમાં તમારો પડછાયો જુઓ અને તેલનું દાન કરી લો. શનિ દોષના પ્રકોપથી બચવા માટે ધતૂરાના મૂળને ગળા કે હાથમાં ધારણ કરો.