શનિના કુંભ રાશિમાં ગોચર કરતા સાડાસાતીનુ આખુ ગણિત બદલાઈ ગયુ છે. જ્યોતિષના જાણકારોનુ કહેવુ છે કે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ ધન રાશિના જાતક સાડાસાતીમાંથી મુક્ત થયા છે. જ્યારે મીન, કુંભ અને મકર રાશિમાં અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો તબક્કો શરૂ થયો છે.
શનિ દેવે આજે કુંભ રાશિમાં ગોચર કર્યુ
સાડાસાતીનુ આખુ ગણિત બદલાઈ ગયુ
ધન રાશિના જાતક સાડાસાતીમાંથી મુક્ત થયા
શનિએ આજે કુંભ રાશિમાં ગોચર કર્યુ
ન્યાયના દેવ શનિએ આજે કુંભ રાશિમાં ગોચર કર્યુ છે. શનિ પૂરા 30 વર્ષ બાદ આ રાશિમાં આવ્યાં છે. શનિના કુંભ રાશિમાં ગોચર કરતા જ સાડાસાતીનુ આખુ ગણિત બદલાઈ ગયુ છે. જ્યોતિષવિદ કહે છે કે જ્યારે પણ કોઈ રાશિ પર શનિની સાડાસાતી હોય છે તો તેમણે શનિવારના દિવસે અમુક વસ્તુઓ ખરીદવાથી બચવુ જોઈએ.
લોખંડનો સામાન- જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી ચાલી રહી છે તો શનિવારના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા લોખંડમાંથી બનાવેલો સામાન ખરીદીને ઘરે ના લાવો. લોખંડની કાતર, લોખંડના વાસણ, ઘર બનાવવાનુ મટીરીયલ, લોખંડના તાળા અથવા લોખંડની તિજોરી જેવી વસ્તુઓ શનિવારે બિલકુલ ના ખરીદો.
તલ અને તેલ- શનિવારે શનિદેવને તેલમાં કાળા તલ નાખીને ચઢાવવા સારું માનવામાં આવે છે. પરંતુ જો કોઈ જાતક પર શનિની સાડાસાતી ચાલી રહી છે તો તેણે શનિવારના દિવસે તેલ અથવા તલની ખરીદી ના કરવી જોઈએ.
નવા કપડાં- શનિની સાડાસાતી દરમ્યાન જાતકે શનિવારે નવા કપડાંની ખરીદીથી પણ બચવુ જોઈએ. આ એક નાની ભૂલથી તમે મુશ્કેલીમાં પડી શકો છો.
ચામડાનો સામાન- જ્યોતિષીઓનુ કહેવુ છે કે જો કોઈ જાતક પર શનિની સાડાસાતી ચાલી રહી છે તો તેણે શનિવારે ચામડામાંથી બનાવેલો સામાન ના ખરીદવો જોઈએ. તમે ચામડાના બેલ્ટ, જેકેટ, પર્સ, વૉલેટ અથવા એવા કોઈ પણ સામાનની ખરીદી શનિવારના દિવસે ના કરો.