કુંભ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે, તેથી શનિનુ કુંભ રાશિમાં જવુ ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ લગભગ દર અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે. આ રીતે શનિની એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ વાપસી થાય છે.
30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ
શનિએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો
શનિ લગભગ દર અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે
શનિનો આ ગોચર દેશ-દુનિયામાં મોટા ફેરફાર લાવશે
શનિએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. કુંભ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે, તેથી શનિનુ કુંભ રાશિમાં જવુ ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ લગભગ દર અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે. આ રીતે શનિની એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ વાપસી થાય છે. શનિના આ ગોચરથી દેશ-દુનિયામાં ઘણા મોટા ફેરફાર આવવાની પ્રબળ સંભાવનાઓ છે.
સાડાસાતી અને ઢૈયાની સ્થિતિ કેવી રહેશે?
શનિ કુંભ રાશિમાં આવતા જ ધન રાશિની સાડાસાતી પૂરી થઇ છે. કુંભ રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થયો છે. આ સાથે મકર રાશિ પર સાડાસાતીનો છેલ્લો તબક્કો શરૂ થયો છે. મીન અને કુંભ રાશિ પર સાડાસાતી અનુક્રમે પહેલો અને બીજો તબક્કો શરૂ થયો છે. તો મિથુન અને તુલા રાશિમાંથી શનિની ઢૈયા પૂરી થઇ છે. કર્ક અને વૃશ્ચિક રાશિની ઢૈયા શરૂ થઇ ગઇ છે.
દેશ-દુનિયા પર કેવી અસર થશે?
શનિના રાશિ પરિવર્તનથી વિશ્વમાં મોટો ફેરફાર આવવાની સંભાવના છે. મધ્ય જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી માહોલ અશાંત રહી શકે છે. વિવાદ અને કુદરતી આપત્તિઓ જેવી સ્થિતિ બની શકે છે. જો કે, ભારતની સ્થિતિમાં ફેરફાર થશે. જનતા માટે તમામ કલ્યાણકારી યોજનાઓ બનશે. ન્યાય વ્યવસ્થા વધુ સક્રિય થશે. દેશ-દુનિયા માટે અનેક મોટા નિર્ણય આવી શકે છે.
રાશિઓ પર કેવી અસર?
મેષ, સિંહ અને ધન રાશિના જાતકોને કારકિર્દી અને ધનનો લાભ થશે. કારકિર્દીમાં મહેનત તો થશે પણ લાભ પણ ખૂબ થશે.
વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોની સમસ્યાઓ તો સમાપ્ત થશે, પરંતુ તેમણે સ્વાસ્થ્યનુ ધ્યાન પણ રાખવુ પડશે.
મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોને દૂર સ્થાનથી લાભ થશે. પરંતુ તેમણે નિર્ણયો મામલે સાવધાની રાખવી પડશે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોની કારકિર્દી સારી થતી જશે. પરંતુ કામ થવામાં વિલંબ રહેશે.