FOLLOW US
મેષ રાશિ
આ રાશિના જાતકોને શનિવારની સાંજે શમી ઝાડના મૂળને કાળા કપડામાં વીંટીને કાળા દોરામાં રાખીને ગળામાં પહેરવું જોઇએ, આથી શનિદેવના નકારાત્મક પ્રભાવથી બચી શકાશે.
વૃષભ રાશિ
આ જાતકોને ગરીબ અને અસહાય લોકોને મદદ કરવી જોઇએ, જેનાથી શનિદેવ ખુબ ખુશ થશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોએ પક્ષીઓની સેવા કરવી જોઇએ, શની માર્ગી હોવાને કારણે પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઇએ.
કર્ક રાશિ
આ રાશિના જાતકોએ શનિવાર કે મંગળવારે કાળા ચણાનું દાન કરવું જોઇએ, જેથી તમારા સંપૂર્ણ કષ્ટ દુર થઇ જશે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોએ સંકટમોચન પાઠ કરવા જોઇએ, સાથે જ ભગવાન શનિદેવ અને હનુમાનજીની ઉપાસના કરવી જોઇએ,
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ મંગળવાર કે શનિવારે કાળા વસ્ત્રોનુ દાન કરવું જોઇએ. સાથે જ કાળા વસ્ત્રો કે જુતા ન પહેરવા જોઇએ.
તુલા રાશિ
આ રાશિના જાતકોએ પીપળાના વૃક્ષ નીચે દીવો કરવો જોઇએ. જેથી તમારા પર કૃપા વરસશે.
વૃશ્ચિક રાશિ આ રાશિના જાતકોએ કુષ્ઠ રોગ ધરાવતા લોકો માટે દાન કરવું જોઇએ, જેથી શનીદેવ પ્રસન્ન થશે.
ધન રાશિ
આ રાશિના જાતકોએ મંગળવાર અને શનિવારે હનુમાનજી અને શનીદેવની પૂજા કરવી જોઇએ, જેથી નકારાત્મક ઉર્જા દુર થઇ જશે.
મકર રાશિ
આ રાશિના જાતકોએ સાંજે ગરીબ અને નાની બાળકીઓને કાળા રંગવુ પીણુ દાન કરવું જોઇએ.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ સાચા મનથી શનિદેવના પાઠ કરવા જોઇએ, સાથે જ પગમાં કાળો દોરો પહેરવો જોઇએ,
મીન રાશિ
આ રાશિના જાતકોએ રોજ હનુમાનજીની પૂજા કરવી જોઇએ, સાથે જ વૃક્ષ નીચે દિવો કરવો જોઇએ.