દિવાળીને તહેવાર આવી રહ્યો છે ત્યારે તેની પહેલાં આજે શનિવારે શનિ પુષ્ય નક્ષત્ર યોજાયો છે. પુષ્ય નક્ષત્રને ઋગવેદમાં મંગળકારી ગણાયો છે. આ વિશેષ સમયે ખરીદીને શુભ ગણવામાં આવી છે. જ્યોતિષના આધારે આ સમયે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી લાભ આપે છે. તો જાણો કઈ વસ્તુઓની આજે ખરીદી કરવી અને કયા કામ કરવા શુભ રહેશે.
દિવાળી પહેલાં આજે ખાસ દિવસ
આજે શનિવારે શનિ પુષ્ય નક્ષત્ર
જાણો કઈ વસ્તુની ખરીદી શુભ રહેશે
1. પુષ્ય નક્ષત્રમાં સોનાની ચીજો ખરીદવી શુભ ગણાય છે. સોનાના આભૂષણને શુધ્ધ અને પવિત્ર તથા અક્ષય ધાતુ ગણાય છે. આ નક્ષત્રમાં ગુરુ, શનિ અને ચંદ્રનો પ્રભાવ રહે છે.
2. પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન અને ગાડી ખરીદવાનું ખૂબ શુભ ગણાય છે. ઘર કે મંદિરના નિર્માણ માટે આ સમય ઉત્તમ ગણાય છે. આ નક્ષત્રમાં શિલ્પ, પેન્ટિંગ અને બુક્સ ખરીદવું શુભ રહે છે.
3. પીપળાના ઝાડને પુષ્ય નક્ષત્રનું પ્રતીક કહેવાય છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો ઘરના કોઈ ભાગમાં પીપળાનું ઝાડ લગાવીને તેની પૂજા કરે છે. તેનાથી ઘરમાં ખુશી જળવાઈ રહે છે.
4. પુષ્ય નક્ષત્રમાં પૂજા, ઉપાસનાથી પણ લાભ મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઘીનો દીવો કરીને લક્ષ્મી માતાની પૂજા કરો. કારતક મહિનામાં લક્ષ્મી માતાની પૂજા ફાયદો કરે છે.
5. પુષ્ય નક્ષત્રમાં દાળ, ખિચડી, ચોખા, ચણાનો લોટ, કઢી, બુંદીના લાડુ ખાવાનું શુભ ગણાય છે. આ શુભ ઘડીમાં આ ચીજોનું દાન પણ શુભ રહે છે.
6. આ દિવસે દુકાન ખોલવી, વેપાર કરવો કે કોઈ નવા કામની શરૂઆત કરવાનું પણ શુભ રહે છે. પહેલાંથી વેપાર કરી રહેલા લોકોએ આ દિવસે તેમના ખાતાના ચોપડાની પૂજા કરવી જોઈએ.
7. પુષ્ય નક્ષત્રમાં ચમત્કારી જડીબુટ્ટીઓને લાવીને તેમની સિદ્ધિ કરાય છે. આ દિવસે કુંડળીમાં દૂષિત સૂર્યના દુષ્પ્રભાવને ઘટાડી શકાય છે.
8. રોકાણકારો માટે આ ઘડી શુભ રહે છે. આ સમયે કરાયેલા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લાંબા સમય સુધી લાભ આપે છે.
9. પુષ્ય નક્ષત્રમાં પીપળો, શમી અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું શુભ રહે છે.
10. ગુરુ પુષ્ય નક્ષત્ર કે શનિ પુષ્ય નક્ષત્રમાં નવા સંસ્કારો કે શિક્ષા ગ્રહણ કરવા માટે બાળકોને વિદ્યાલય કે ગુરુકુળ મોકલવાની શરૂઆત કરવાનું શુભ અને ફળદાયી રહે છે.