શનિના રાશિ પરિવર્તનથી અમુક રાશિઓ પર ઢૈય્યાનો પ્રભાવ વધી જાય છે. ત્યાં જ અમુક રાશિઓ પરથી શનિની ઢૈય્યા ખતમ થઈ જાય છે.
આ રાશિના લોકો પર રહેશે શનિની કૃપા
એપ્રિલ મહિનામાં થશે મોટા ફેરફાર
જાણો શનિદેવ કઈ રાશિ પર રહેશે મહેરબાન
જ્યોતિષ અનુસાર શનિ દેવ 2022માં એપ્રિલમાં રાશિ પરિવર્તન કરશે. શનિના રાશિ પરિવર્તનથી અમુક રાશિ પર ઢૈય્યાનો પ્રભાવ વધી જાય છે. ત્યાં જ અુક રાશિઓ પરથી શનિની ઢૈય્યા ખતમ થઈ જાય છે. શનિના પ્રભાવથી નોકરી-વ્યાપારની સાથે સાથે જીવનમાં પણ પ્રગતી થાય છે. માનવામાં આવે છે કે નવા વર્ષની શરૂઆતમાં 3 રાશિઓ પર શનિનો સારો પ્રભાવ પડવાનો છે. આ ત્રણ રાશિઓ કઈ કઈ છે અને તેના પર શનિનો શું પ્રભાવ પડશે તેને જાણીએ.
મેષ રાશિ (Aries)
નવા વર્ષની શરૂઆતમાં મેષ રાશિવાળા પર શનિનો પ્રભાવ રહેશે. જેના પ્રભાવથી જીવન ખુશીઓથી ભરી જશે. પ્રશાસનિક સેવા અથવા લો ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખૂબ શુભ સાબિત રહેશે. શનિદેવના શુભ પ્રભાવથી ઘરમાં પૈસાની કમી નહીં થાય. સાથે જ મનને અનુકુળ નોકરીનો અવસર મળશે. આ ઉપરાંત બિઝનેસમેન માટે પણ શનિ અનુકુળ રહેશે. ધન લાભ માટે ખૂબ સારો સ્રોત બનશે.
વૃષભ રાશિ (Taurus)
નવા વર્ષમાં વૃષભ રાશિ વાળા પર શનિની ખાસ કૃપા રહેશે. 2022માં શનિના કુંભ રાશિમાં પ્રવેશથી વૃષભ રાશિ વાળાની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધાર થશે. સાથે જ નોકરીમાં સારા અવસર મળશે. આ રાશિથી સંબંધિત વ્યાપારી વર્ગને આર્થિક લાભ થશે. જેમને નોકરીની તલાશ કરનાર લોકોને કોઈ સારી જગ્યા પર નોકરી મળવાના યોગ છે. આ ઉપરાંત રોકાયેલા કામ પણ પુરી થઈ જશે. જમીન, ઘર અને ગાડીને લઈને શુભ સાબિત થશે. નવા વર્ષમાં શનિના આગમનથી જીવનમાં ખુશીઓ આવશે.
ધન રાશિ (Sagittarius)
નવા વર્ષમાં શનિનું આગમન ધન રાશિ વાળા માટે શુભ રહેશે. શનિના શુભ પ્રભાવથી ઈનકમ વધશે. સાથે જ રોકાયેલા કામ પુરા થઈ જશે. કરિયરમાં નવી સિદ્ધિ હાશેલ થશે. આ ઉપરાંત ધન-લાભના પણ ઘણા અવસર મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે નવું વર્ષ શુભ સાબિત થશે. નોકરીની શોધ પુરી થશે. અપરણિત લોકો લગ્નના બંધનમાં બંધાશે. શનિના પ્રાભાવથી આપવનાર કષ્ટ દૂર થશે. જ્યારે શનિદેવ 29 એપ્રિલે રાશિ બદલશે તો ત્યાર બાદ જ ધન-લાભના અવસર મળી રહશે.