આ વર્ષે ધનતેરસનો દિવસ વધુ ખાસ રહેવાનો છે. કારણકે આ દિવસે ન્યાયના દેવ શનિ માર્ગી થઇ રહ્યાં છે અને તેનો પ્રભાવ બધી 12 રાશિઓના જીવન પર પડશે. આવો જાણીએ કઈ રાશિઓને આ દરમ્યાન લાભ થવાનો છે.
આ વર્ષે ધનતેરસ શ્રેષ્ઠ રહેશે
ન્યાયના દેવ શનિ થઇ રહ્યાં છે માર્ગી
જેનો પ્રભાવ બધી 12 રાશિઓના જીવન પર પડશે
શનિ ધનતેરસે માર્ગી થઇ રહ્યો છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. શનિને આ ચક્ર પૂરુ કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. આ દિવસે શનિ વક્રી અને માર્ગી થઇ રહ્યાં છે. શનિની આ ચાલનો પ્રભાવ પણ બધી રાશિઓના જાતકોના જીવન પર જોવા મળે છે. આ વખતે શનિ 23 ઓક્ટોબરે એટલેકે ધનતેરસે માર્ગી થઇ રહ્યો છે. શનિ જુલાઈમાં વક્રી થયા હતા.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ મકરમાં માર્ગી થઇને મેષ રાશિના જાતકોને વિશેષ લાભ પહોંચાડવાનો છે. જેનાથી આ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થશે. જીવનના દરેક ક્ષેત્રમાં તેમને વિશેષ લાભ મળશે. દરેક કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે અને સફળતા મળશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. બિઝનેસમાં નફો વધશે. આ દરમ્યાન નોકરી કરનારા લોકોને પણ પ્રગતિ અને લાભ મળવાની સંભાવના છે.
તુલા રાશિ
આ રાશિના જાતકો માટે પણ શનિ માર્ગી શુભ ફળદાયી રહેવાનો છે. આ રાશિના જાતક જો અઢી વર્ષ સુધી વધુ લાભ કમાશે. બધી પરેશાનીઓનો અંત આવશે. વિવાદોમાંથી છૂટકારો મળી જશે. એટલું જ નહીં, પરિવારના જે પણ મુદ્દા છે તેનો ઉકેલ આવશે. ધનલાભ થશે અને કારકિર્દીમાં સફળતા મળશે.
ધન રાશિ
શનિની સીધી ચાલ અમુક રાશિના જાતકોના દિવસ બદલવાની છે. જેમાં ધન રાશિના જાતકોનો પણ સમાવેશ થાય છે. આ દરમ્યાન ધન લાભ થશે. જૂના દેવામાંથી છૂટકારો મળશે. વ્યક્તિના અટકેલા કામ પૂરા થશે. ઑફિસ વગેરેમાં તમારા કામના વખાણ થશે. સન્માનની પ્રાપ્તિ થશે.
મીન રાશિ
ધનતેરસે શનિ માર્ગી થતા મીન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. આ દરમ્યાન આ જાતકો ખૂબ લાભ કમાશે. વ્યક્તિને બિમારીઓમાંથી રાહત મળશે. તણાવ દૂર થશે. પ્રમોશનની રાહ જોઇ રહેલા જાતકોને ટૂંક સમયમાં ખુશખબરી મળી શકે છે. આવકમાં વધારો થશે.