જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહનુ વક્રી અથવા માર્ગી થવુ બધી 12 રાશિઓના જીવન પર પ્રભાવ નાખે છે. 23 ઓક્ટોબરે શનિ મકર રાશિમાં માર્ગી થઇ રહ્યો છે. જેનો ત્રણ ગણો લાભ આ રાશિના જાતકોને થવાનો છે.
23 ઓક્ટોબરે શનિ મકર રાશિમાં માર્ગી થઇ રહ્યો છે
આ રાશિના જાતકોને ત્રણ ગણો લાભ થશે
અમુક રાશિઓમાં ‘મહાપુરૂષ રાજયોગ’નુ થશે નિર્માણ
આ રાશિના જાતકોને ત્રણ ગણો લાભ થશે
જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી ક્રૂર ગ્રહ શનિ દેવને માનવામાં આવ્યો છે. શનિ દેવને ન્યાયના દેવતા અને કર્મફળદાતા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મનુષ્યના સારા-ખરાબ કર્મો મુજબ તેને ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય છે તેઓને શુભ ફળ મળે છે. શનિ જુલાઈમાં મકર રાશિમાં વક્રી થયો હતો અને ઓક્ટોબરમાં મકર રાશિમાં માર્ગી થઇ જશે. શનિ મકર રાશિમાં વક્રી થતા અમુક રાશિઓમાં મહાપુરૂષ રાજયોગનુ નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ અમુક વિશેષ રાશિના જાતકોને ત્રણ ગણો લાભ કરાવવાનો છે.
મેષ રાશિ
શનિ મકરમાં માર્ગી થતા આ રાશિના જાતકોને લાભ થવાનો છે. શનિ દેવ તમારી રાશિના દશમા સ્થાને માર્ગી થઇ રહ્યાં છે. જેને વ્યાપાર અને નોકરીનુ સ્થાન માનવામાં આવે છે. તેથી આ સમયગાળામાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવુ સારું રહેશે. નવી નોકરીની ઑફર અથવા ફરીથી પદોન્નતિની સંભાવના પણ છે.
મીન રાશિ
આ રાશિની ગોચર કુંડળીથી શનિ ગ્રહ 11મા ભાવમાં વક્રી થઇ રહ્યાં છે. જેને આવક અને લાભનો ભાવ માનવામાં આવે છે. એવામાં શનિના માર્ગી થવાથી આવકમાં વધારો થઇ શકે છે. આવકના નવા સ્ત્રોતથી રૂપિયા કમાવવામાં સફળતા મળશે. નવા વ્યાપારિક સંબંધ બની શકે છે. વ્યાપારમાં કોઈ નવી ડીલ ફાઈનલ કરવાથી ભવિષ્યમાં લાભ થશે. વ્યાપારમાં નફો થશે.
ધન રાશિ
વ્યાપાર અને કારકિર્દી માટે આ સમય અનુકૂળ છે. શનિ આ રાશિના બીજા સ્થાનમાં માર્ગી થઇ રહ્યાં છે. જેને ધન અને વાણીનુ સ્થાન માનવામાં આવે છે. આ દરમ્યાન આકસ્મિક ધનના યોગ બની રહ્યાં છે. અટકેલુ ધન અને બાકી આપવામાં આવેલા પૈસા પાછા મળી શકે છે. વ્યાપારમાં સારો પ્રોફીટ થવાની શક્યતા છે. વાણી અને માર્કેટીંગના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શ્રેષ્ઠ છે.