29 એપ્રિલથી 7મે સુધી શનિ અને મંગળ કુંભ રાશિમાં, શત્રુતાનો ભાવ દર્શાવતા ગ્રહોની એક જ સાથે એક જ રાશિમાં .
મંગળ અને શનિ એક જ રાશિમાં
કુંભ રાશિમાં બંને ગ્રહોની યુતિ
29થી 17મે સુધી શનિ-મંગળ એક જ રાશિમાં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શનિ ભારે ગ્રહો ગણાય છે. આ બંને ગ્રહો વચ્ચે શત્રુતાનો ભાવ છે. 29 એપ્રિલથી 17 મે સુધી શનિ અને મંગળ એક જ રાશિમાં છે. મહત્વનું છે કે શનિ 29 એપ્રિલે સવારે 9 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ ક્યો છે. આ રાશિમાં પહેલેથી જ મંગળ બિરાજમાન છે. ત્યારે કુંભ રાશિમાં જ શત્રુતાનો ભાવ દર્શાવતા બંને ગ્રહોની યુતિથી એક વિશેષ યોગનું નિર્માણ થઇ રહ્યુ છે. આ યોગને દ્વંદ્વ યોગ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ શુભ માનવામાં આવતો નથી. આ યુતિનો પ્રભાવ 3 રાશિના જાતકો પર સૌથી વધારે પડશે. ત્યારે આવો જાણીએ કઇ રાશિના જાતકોએ મુશ્કેલીનો કરવો પડશે સામનો .
કર્ક રાશિ
આ રાશિના આઠમા ભાવમાં શનિ-મંગળનો સંયોગ બનશે. આઠમા ભાવને ઉંમર, સંકટ અને અકસ્માતનું ભાવ માનવામાં આવે છે. તેથી, આ રાશિના લોકોને નુકસાન થવાની સંભાવના રહે છે. તેઓએ કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારના જોખમથી પણ બચવું જોઈએ. આ જોડાણ અમુક પ્રકારની દુર્ઘટના સૂચવે છે.
કન્યા રાશિ
શનિ-મંગળનો સંયોગ આ રાશિના છઠ્ઠા ભાવમાં છે. આ ભાવ ઋણ, શત્રુ, આરોગ્યનો ભાવ દર્શાવે છે. તેથી આ સમયમાં તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. ખાવા-પીવામાં સાવધાની રાખવી પડશે. ધન ખર્ચમાં વધારો થાય તેવી શક્યતા છે.
કુંભ રાશિ
શનિ-મંગળની યુતિ કુંભ રાશિના જાતકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કુંભ રાશિના લોકોમાં ગુસ્સા અને ચીડિયાપણાની અસર રહેશે. જીવનસાથી અને સહકર્મચારી સાથે વિવાદ થવાની પ્રબળ સંભાવના છે.