શાસ્ત્રોક્ત નિયમો અનુસાર શનિ અને મંગળ એકબીજા સાથે દુશ્મની ધરાવતા ગ્રહો છે. આજથી બંન્ને ગ્રહો વચ્ચે એક વિશેષ વિનાશકારી સંબંધ સર્જાઇ રહ્યો છે. જે રાશિ મુજબ વિવધ અસરો આપનારો સાબિત થશે. આ બંન્ને ગ્રહો વચ્ચે જે સંબંધ છે તે દ્રષ્ટી સંબંધ તરીકે જાણીતો છે. જે વિધ્વંશક યોગનું સર્જન કરે છે.
આ ગ્રહોની યુતિને કારણે દેશ અને દુનિયામાં પણ ઉથલ-પાથલ સર્જાઇ શકે છે. મંગળને અગ્નિ ગ્રહ કહેવામાં આવે છે જે સ્વભાવમાં ઘણો હિંસક છે તથા શનિ ક્રૂર ગ્રહ છે જેને તેલ પસંદ છે. આ પ્રકારે પણ જોઈએ તો જ્યારે પણ આગ અને તેલ મળે તો વિધ્વંસ જ આવે છે. માટે આ બન્ને ગ્રહોમાં કોઈ પણ પ્રકારે અંતર્સંબંધ બનવો માત્ર વ્યક્તિગત જીવનમાં ઉથલપાથલ સર્જી શકે છે.
મેષ:
- આ રાશિના જાતકોએ ખાનપાન અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો પર વિશેષ ધ્યાન આપવુ જોઇએ.
- આ યુતિ આ દુર્ઘટનાઓની ખાસ સંભાવના છે.
વૃષભ:
- આ રાશિના જાતકોને અણધાર્યુ કામ આવી પડે .
- વિપત્તિનો સામનો કરવો પડે.
મિથુન
- વાહન સંબંધિત બાબતોથી પરેશાન થવાય
- વાહન દુર્ઘટનાનો શિકાર ન બનો તે માટે સંભાળવું
કર્ક
- કેટલાક કિસ્સામાં લાભદાયી છે .
- હિત શત્રુથી સંભાળવુ.
સિંહ
- સંતાન પક્ષથી કષ્ટ કે હાનિ થઈ શકે.
- કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડો.
કન્યા
- સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવી શકે.
- વાહન ચલાવતી વખતે સંભાળવું.
તુલા
-ભાઈ-બહેનોમાં થોડો તણાવ થઈ શકે.
-સામજિક માન-મર્યાદામાં ઘટાડો થઇ શકે.
વૃશ્ચિક
-ધન સંબંધી બાબતોમાં સંભાળવુ.
- સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં ધ્યાન રાખવુ.
ધન
-વેપારમાં નુકસાન પહોંચશે
- કેરિયર સાથે જોડાયેલી બાબતોમાં સંભાળ રાખવી.
મકર
-લાંબી યાત્રાનો યગ બની શકે.
- આરોગ્યની ખાસ કાળજી રાખવી.
કુંભ
-આર્થિક નુકસાન થવાની સંભાવના
- વેપાર-ધંધામાં સંભાળવું.
મીન
-કાર્યક્ષેત્રમાં રુકાવટ આવે
- કેરિયર સંબંધિત બાબતોનુ ધ્યાન રાખવું.