આજે છે શનિ જયંતી. આજે રાજ યોગ બની રહ્યો છે. 30 વર્ષ પછી શનિ ગ્રહ પોતાની રાશિ કુંભ રાશિમાં હાજર છે.ચાર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહેવાનો છે.
આજે શનિ જયંતી
આજે અદભૂત રાજયોગ
30 વર્ષ પછી બને છે આવો સંયોગ
30 મે એટલે કે આજે શનિ જયંતિ છે. શનિ જયંતિ જ્યષ્ઠ મહિનાની આમાસ ઉજવવામાં આવે છે અને આ વર્ષે તે સોમવતી આમાસ છે. આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ છે, એટલે કે આ પછી આખા વર્ષમાં સોમવારે કોઈ અમાવસ્યા નહીં આવે. આ ઉપરાંત આજે વટ સાવિત્રી ઉપવાસ પણ રાખવામાં આવશે.
આજે અદભૂત સંયોગ
આ સિવાય બીજો એક અદ્ભુત સંયોગ એ છે કે શનિ જયંતીના દિવસે 30 વર્ષ પછી શનિ ગ્રહ પોતાની રાશિ કુંભ રાશિમાં હાજર છે. એકંદરે, ગ્રહો અને નક્ષત્રોનો આ સંયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ છે. આ સ્થિતિ 4 રાશિઓ પર રાજયોગ બનાવી રહી છે, જે તેમને સર્વોત્તમ લાભ આપશે.
આ રાશિઓ માટે શનિ જયંતિ ખૂબ જ શુભ
મેષઃ- મેષ રાશિના લોકોને શનિદેવની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. આ લોકોમાં અઢળક ધનલાભ થવાની સંભાવના હોય છે. પ્રવાસ પર જઈ શકો છો. જે લોકો નવું કામ શરૂ કરવા માગે છે તેમના માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
કર્કઃ કર્ક રાશિના જાતકોને શનિદેવની કૃપાથી પૂરતા ધનની પ્રાપ્તિ થશે. આનાથી તેમની ઘણી આર્થિક સમસ્યાઓ હલ થશે. કાર્યસ્થળ પર લાભ થશે. માન-સન્માન મળવાના ચાન્સ છે.
તુલાઃ શનિદેવ તુલા રાશિના જાતકોને અનેક નવા માર્ગોથી લાભ કરાવશે. મોટી સફળતા મળી શકે છે. નવી નોકરીની ઓફર આવી શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. વેપારીઓને મોટા ઓર્ડર અથવા કોન્ટ્રાક્ટ મળી શકે છે.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકો પર પણ શનિની કૃપા રહેશે. કરિયરમાં લાભ થશે. નોકરીમાં નવી નોકરી મેળવવાનો માર્ગ ખુલી શકે છે. વ્યાપારીઓને કોઈપણ કાર્યમાં સફળતા મળી શકે છે. પૈસાથી ફાયદો થશે.
આજનું પંચાંગ
30 05 2022 સોમવાર
માસ વૈશાખ
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ (સાંજે 04.59 પછી એકમ)
નક્ષત્ર રોહિણી
યોગ સુકર્મા
કરણ નાગવ (સાંજે 04.59 પછી કિસ્તુધ્ના)
રાશિ વૃષભ (બ,વ,ઉ)
----------------------
દેવ દર્શન - શનિદેવ મંદિર, હાથલા
આ શનિનું જન્મ સ્થળ હોવાનું કહેવાય છે, હાથલામાં મળી આવેલા અવશેષો 1500 વર્ષ જૂના છે. અહીં શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન 6-7મી સદીની મૂર્તી, શનિકુંડ સહિતની વસ્તુઓ અહીં મળી આવી હતી.
પૌરાણિક માન્યતા એવી છે કે પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજારો શનિભક્તો અહીંના શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિ જયંતીના દિવસે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા માટે આવે છે.