આ વર્ષે 10 જૂને શનિ જયંતિ અને સૂર્યગ્રહણના એક સાથે યોજાવવાના કારણે વૃષભ, વૃશ્વિક અને મીન રાશિના જાતકોને ખૂબ જ મોટો લાભ થવાની શક્યતાઓ છે.
10 જૂને યોજાશે શનિ જયંતિ અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
જાણો કઈ 3 રાશિના જાતકો થશે માલામાલ
કેટલાક ખાસ ઉપાયોથી શનિદેવને કરી શકાય છે પ્રસન્ન
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આ વર્ષે 10 જૂને શનિજયંતિની ઉજવણી કરાશે. આ સાથે આ દિવસે સૂર્યગ્રહણ પણ યોજાઈ રહ્યું છે. શનિ જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મનુષ્યના કર્મોના અનુસાર શનિદેવ તેમને એવું ફળ આપે છે. મનુષ્યનું કોઈ પણ સારું કે ખરાબ કામ શનિદેવથી છૂપાયેલું નથી. આ દિવસે શનિદેવની વિધિ વિધાન સાથે પૂજા કરાય છે. માન્યતા છે કે શનિદેવ આમ કરવાથી પ્રસન્ન રહે છે. જ્યોતિષના અનુસાર આ વર્ષે શનિદેવની કેટલીક ખાસ રાશિ પર કૃપા રહેશે. તો જાણો કઈ રાશિ પર મહેરબાન રહેશે શનિદેવ.
વૃષભ રાશિ
10 જૂન એટલે કે શનિ જયંતિના દિવસે શનિદેવ તેમની ખાસ કૃપા આ રાશિના લોકો પર વરસાવશે. શનિ જયંતિનો દિવસ આ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવશે. સંબંધો મધુર થશે અને ધન લાભ થવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. જો લોકો શિક્ષા સાથે જોડાયેલા છે તેમને માટે પણ આ દિવસ ખાસ રહેશે. એટલે કે તમારા માટે આ ખુશીઓ લઈને આવશે અને કરેલી મહેનત પણ સફળ થશે.
વૃશ્વિક રાશિ
શનિજયંતિના દિવસે આ વર્ષે વૃશ્વિક રાશિના લોકોને પણ ફાયદો થઈ શકે છે. એવામાં શનિ જયંતિનો દિવસ વૃશ્વિક રાશિના લોકોને માટે સારો રહેશે. એવામાં આ રાશિના લોકો જયાં કામ કરી રહ્યા છે ત્યાં સફળતા મેળવી શકે છે. આ વખતે વૃશ્વિક રાશિને સંપૂર્ણ રીતે તેમનું ભાગ્ય સાથ આપશે એટલે કે તેમની આર્થિક સ્થિતિ સારી રહેશે અને ધન સંબંધી કામમાં લાભ થશે.
મીન રાશિ
આ સિવાય મીન રાશિના લોકો પર પણ શનિદેવ મહેરબાન રહેશે. એવામાં આ રાશિના લોકોને શનિ જયંતિ પર શુભફળ મળવાની સંભાવના છે. સાથે લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક સમસ્યામાંથી પણ રાહત મળશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ સિવાય હેલ્થને લઈને ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તમારું સ્વાસ્થ્ય તમારો સાથ આપશે.