શનિદેવને પ્રસન્ન કરવા હોય તો સારા કાર્યો કરો અને તેમાં પણ ગરીબનો વિશેષ મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે તેમ જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે.
શનિદેવ છે કુંભ રાશિમાં
30મેના રોજ છે શનિ જયંતિ
કેટલાક ઉપાયોથી શનિદેવ થશે પ્રસન્ન
શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિદેવની દ્રષ્ટિ જેની પર પડે છે તે ખેદાનમેદાન થઇ જાય છે તેવુ આપણે ઘણીવાર સાંભળ્યુ છે. તેમાં પણ જેને સાડાસાતી અને ઢૈયાનો સમય થોડો કઠીન ગણાય છે. પરંતુ શનિની સાડા સાતી કે ઢૈયાથી ગભરાવવાની જરુર નથી. કારણ કે તમે જેવા કર્મો કર્યા હશે તે પ્રમાણે જ શનિદેવ ન્યાય કરશે. આ સમયગાળામાં તેઓ સારા કર્મોનું પણ ફળ આપે છે. પરંતુ શનિની સાડાસાતી અને શનિની ઢૈયા જેને ચાલતી હોય તે લોકોએ આ શનિશ્વરી અમાસે કેટલાક ઉપાય કરવા જરુરી છે.
30મેના રોજ શનૈશ્વરી જયંતિ
30 મેના રોજ શનિ જયંતિ છે.શનિ જયંતિ એટલે શનિદેવનો જન્મદિવસ. શનિદેવનો જન્મ સૌથી મોટી કૃષ્ણ અમાવસ્યાના દિવસે થયો હતો. શનિની સાડાસાતી અને શનિ ઢૈયા જે રાશિને ચાલતી હોય તેવા લોકો માટે આ દિવસ ખાસ હોય છે. આ વર્ષે શનિ કુંભ રાશિમાં છે. તેથી કેટલીક રાશિની સાડાસાતી પૂરી થઇ ગઇ છે તો કેટલીક રાશિની સાડાસાતી શરુ થઇ. ત્યારે આવો જાણીએ આવા રાશિના જાતકોએ શનિ જયંતિના દિવસે કેવા ઉપાય કરવા
આ મંત્રોનો કરો જાપ
શનિ જયંતિના દિવસે "ઓમ શં શનિશ્ચરાય નમ:"
ઓમ નીલાંજના સમાભસ્મ રવિપુત્રમ યમગ્રજમ. આ બંને મંત્રોનો જાપ કરવાથી સાડાસાતી અને ઢૈયાના જાતકોને લાભ થા છે.
શનિ ચાલીસા કરો
શનિ જયંતિ પર શનિ ચાલીસાનો પાઠ પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે શનિ જયંતિ પર ચાલીસાના પાઠ કરવાથી શનિ પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો દાન કરે છે તેમના પર ભગવાન શનિ પ્રસન્ન થાય છે. આપવાથી અનેક ગણું ઈનામ મળે છે.
ગરીબોને કરવી જોઇએ મદદ
શનિની મહાદશાવાળા લોકોએ પણ હંમેશા ગરીબોની મદદ કરવી જોઈએ, કોઈને બિનજરૂરી હેરાન ન કરવી જોઈએ. તેઓએ સર્વના ભલા માટે કામ કરવા જોઈએ.
કર્મોને આધારે શનિદેવ આપે છે ફળ
કોઈ પણ કામ તમે ખોટી રીતે અથવા તણાવમાં આવીને કરશો, કે પછી છેતરપિંડીદ્વારા પૈસા કમાશો તો ખોટા કાર્યોથી મેળવેલી સિદ્ધ તમારા તણાવમાં વધારો કરશે. કારણ કે શનિદેવ ન્યાયાધીશ છે, તેથી પરિણામ પણ તમારા કર્મના આધારે નક્કી થશે. આ વાતને ધ્યાનમાં રાખીને જો તમે ઈમાનદારીથી ઘણી મહેનત કરશો તો ચોક્કસથી શુભ પરિણામ મળશે.