બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Daily Horoscope / shani gochar people of 3 zodiac luck will shine

શનિની ચાલ / એપ્રિલ માસમાં શનિ કરશે રાશિ પરિવર્તન, આ ત્રણ રાશિના જાતકોની વધશે અઢળક ધનસંપત્તિ

Khyati

Last Updated: 12:09 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ પોતાની રાશિ મકર છોડીને કુંભ રાશિમાં કરશે પ્રવેશ..ધન, મિથુન અને તુલા રાશિને ફાયદો જ ફાયદો

  • શનિ કરશે રાશિ પરિવર્તન
  • ધન, મિથુન અને તુલા રાશિને ફાયદો
  • ધનપ્રાપ્તિના ખુલશે નવા રસ્તા 

આપણા જીવનમાં ગ્રહોની સ્થિતિ અને તેમાં ફેરફાર ઘણો પ્રભાવ લાવે છે. સારા સ્થાને પડેલા ગ્રહો આપણને શુભ ફળ આપે છે તો ગ્રહો સ્થાન બદલે ત્યારે પણ કોઇને કોઇ છાપ આપણા જીવનમાં છોડીને જતા હોય છે. ત્યારે ગ્રહોમાં પણ શનિગ્રહની ચાલ જીવનમાં ભારે ઉથલપાથલ તો ક્યારેક અત્યંત લાભદાયી નીવડે છે. પરંતુ  આ વખતે શનિની દ્રષ્ટિથી 3 રાશિના લોકો માટે વર્ષ 2022 ઘણુ સારુ સાબિત થશે કારણ કે આ વર્ષે એપ્રિલ માસમાં શનિ રાશિ બદલશે જેને કારણે આ ત્રણ રાશિના જાતકોને ઘણી સમસ્યાઓથી મુક્તિ મળશે. ઘણા નવા રસ્તાઓ પણ ખુલશે.

ચમકી ઉઠશે આ રાશિની કિસ્મત

શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલે છે. વર્ષ 2021માં શનિએ રાશિ બદલી ન હતી અને હવે વર્ષ 2022માં એપ્રિલ મહિનામાં રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. 29 એપ્રિલ, 2022 ના રોજ, શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનું આ સંક્રમણ 3 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ સંક્રમણથી ધનુ રાશિના લોકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. આ સાથે જ મિથુન અને તુલા રાશિને પણ અઢી વર્ષ બાદ શનિથી મુક્તિ મળશે. શનિના પ્રકોપથી મુક્તિ મળ્યા બાદ આ ત્રણ રાશિના લોકોના અટકેલા કામ ઝડપથી થવા લાગશે. ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ બનશે. ટેન્શન દૂર થશે.

આ રાશિને થશે મુશ્કેલી

શનિનું રાશિ પરિવર્તન  ધન, તુલા અને મિથુન રાશિના લોકોને રાહત આપશે, પરંતુ મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને ઘણી પરેશાનીઓ લાવશે. 29 એપ્રિલ 2022 થી મીન રાશિના લોકો પર શનિની સાડી સીતી શરુ થશે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયા (અઢી વર્ષ)  શરૂ થશે. જો કે, જેમની કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ મજબૂત છે, તેઓને સાડાસાત અને  શનિની ઢૈયામાં પણ મોટો ફાયદો થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ