જ્યોતિષમાં બતાવવામાં આવેલા ઉપાયોમાં ઘણા પ્રકારની ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. એ ચીજોમાંથી એક છે કાળા તલ. કાળા તલ શનિથી સંબંધિત વસ્તુ છે અને પૂજા પાઠમાં એને સામેલ કરવાથી શનિની સાથે જ રાહુ-કેતુના પણ દોષ દૂર થઇ જાય છે. અહીંયા જાણો કાળા તલના ખાસ ઉપાયો
- દરરોજ એક લોટામાં શુદ્ધ પાણી ભરો હવે એ પાણીને શિવલિંગ પર ऊँ नम: शिवाय મંત્ર જપ કરીને ચઢાવો. પાણી પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જાપ કરતા રહો. પાણી ચઢાયા બાદ ફૂલ અને બિલીપત્ર ચઢાવો. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થાય એવી સંભાવનાઓ વધી જાય છે.
- કાળા તલનું દાન કરોય એનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ પ્રભાવ સમાપ્ત થઇ જાય છે. કાલસર્પ યોગ સાડાસાતી પિતૃ દોષ વગેરેમાં પણ આ ઉપાય કરવામાં આવી શકે છે.
- દૂધમાં કાળા તલ મિક્સ કરીને પીપળા પર ચઢાવોય એનાથી ખરાબ સમય દૂર થઇ જાય છે. આ ઉપાય દર શનિવારે કરવો જોઇએ.
- દર શનિવારે કાળા તલ કાળા અડદને કાળા કપડામાં બાંધીને કોઇ ગરીબ વ્યક્તિને દાન કરો. આ ઉપાયથી પૈસાથી જોડાયેલી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
- કુંડળીમાં શનિનો દોષ હોય અથવા શનિની સાડાસાતી ચાલી રહી હોય તો કોઇ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવો જોઇએ. એ ઉપાયથી શનિના દોષોની શાંતિ થાય છે.
- દરરોજ શિવલિંગ પર કાળા તલ અર્પિત કરો. એનાથી શનિનો દોષ શાંત રહે છે. જૂના સમયથી ચાલી આવી રહેલીઓ બીમારીઓ પણ દૂર થઇ શકે છે.