જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શનિનો ગૌચર ખાસ મહત્વ રાખે છે. શનિદેવ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તો કોઈ રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થઈ જાય છે.
આ રાશિ પર શરૂ થશે શનિની ઢૈય્યા
શરૂ થઈ જશે સાડાસાતીનું બીજુ ચરણ
જાણો તેના વિશે વિગતે
જ્યોતિષ શાસ્ત્રની દષ્ટિથી શનિનું ગૌચર ખાસ મહત્વ રાખે છે. શનિદેવ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તો કોઈ રાશિ પર શનિની ઢૈય્યા શરૂ થઈ જાય છે. જ્યારે કોઈ રાશિ પર સાડાસાતી શરૂ થઈ જાય છે. શનિદેવે 18 જાન્યુઆરીએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. હવે જલ્દી રાશિ પરિવર્તન કરવાના છે.
શનિદેવને રાશિ બદલવાના અઢી વર્ષનો સમય લાગે છે. આ રીતે 12 રાશિઓનું ચક્ર પુરી કરવામાં તેમને 30 વર્ષ લાગે છે. એવામાં જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ બદલશે અને કઈ રાશિઓ પર શનીની ઢૈય્યા શરૂ થવાની છે.
શરૂ થઈ જશે સાડાસાતીનું બીજુ ચરણ
જ્યોતિષ ગણના અનુસાર 29 એપ્રિલે શનિનું રાશિ પરિવર્તન થશે. તે સમયે શનિ દેવ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિના આ ગોચરથી ઘણી રાશિઓના જીવનમાં ખાસ પરિવર્તન જોવા મળશે. સાથે જ શનિનું આ રાશિ પરિવર્તન જ્યોતિષની રીતે પણ ખાસ છે. હકીકતે આ સમયે શનિ કુંભ રાશિમાં મજબૂત સ્થિતિમાં રહેશે. શનિના આ ગૌચરથી સૌથી વધુ કષ્ટ કુંભ રાશિના લોકોને થશે. કારણ કે આ રાશિમાં સાડાસાતીનું બીજુ ચરણ શરૂ થઈ રહ્યું છે. સાડાસાતીનું બીજુ ચરણ ખૂબ જ કષ્ટદાયી હોય છે.
આ રાશિઓ પર શરૂ થશે શનિની ઢૈય્યા
29 એપ્રિલે શનિના કુંભ રાશિમાં ગૌચર કરવાની સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. જ્યારે મિથુન અને તુલા રાશિના જાતક ઢૈય્યાના પ્રભાવથી મુક્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 જૂન 2022એ શનિદેવ ફરીથી વક્રી થશે અને 12 જુલાઈથી મકર રાશિમાં ફરી ગૌચર કરશે. જેના પ્રભાવથી જે રાશિઓ શનિના પ્રભાવથી મુક્ત થયેલી હશે તે ફરી શનિની ઝપેટમાં આવી જશે. તે ઉપરાંત શનિ 12 જુલાઈ 2022થી 17 જાન્યુઆરી 2023 સુધી મકર રાશિમાં પ્રવેશ કરશે. પછી શનિ દેવ પોતાની ગૌચર રાશિમાં પરત આવશે.