શનિ અત્યારે ઉલટી ચાલ ચાલી રહ્યાં છે. 12 જુલાઈ 2022ના રોજ શનિ વક્રી સ્થિતિમાં રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ ગોચર બે રાશિના જાતકોનુ ભાગ્ય ખોલી દેશે. કારણકે તેના પરથી શનિની ઢૈયા હટી જશે.
શનિ વક્રી સ્થિતિમાં રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે
શનિ ગોચર બે રાશિના જાતકોનુ ભાગ્ય ખોલી નાખશે
તો મિથુન અને તુલા રાશિના જાતકો શનિ પ્રકોપનો સામનો કરશે
વક્રી શનિ ગોચર બે રાશિના જાતકોનુ ભાગ્ય ખોલશે
વક્રી શનિ ગોચર બે રાશિના જાતકોનુ ભાગ્ય ખોલવા જઇ રહ્યું છે. આ બંને રાશિઓ શનિની ઢૈયાથી પીડિત હતી અને 12 જુલાઈએ શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ આ રાશિના જાતકોને મહાદશામાંથી રાહત મળી જશે. શનિની ઢૈયા હટતા જ આ બંને રાશિઓના જાતક મોટી રાહત મહેસૂસ કરશે. આ જાતકોના પ્રગતિના દ્વાર ખુલી જશે. આવક વધશે.
આ રાશિના જાતકો પરથી હટી જશે શનિની ઢૈયા
શનિ દેવે ગત 29 એપ્રિલથી પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થઇ હતી. ત્યારબાદ શનિ વક્રી થયા અને હવે વક્રી સ્થિતિમાં જ 12 જુલાઈએ ફરીથી રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. વક્રી શનિ કુંભ રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. શનિનો મકરમાં પ્રવેશ કરતા જ કર્ક અને વૃશ્વિક રાશિના જાતકો પર શનિની સાડાસાતી હટી જશે. જો કે, અન્ય બે રાશિના જાતકો પર ઢૈયા શરૂ થશે. શનિની ઢૈયા હટતા જ કર્ક અને વૃશ્વિક રાશિના જાતકો માટે પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ, વ્યાપારમાં સફળતા, ધનલાભના યોગ બનશે.
આ રાશિના જાતકોના ખરાબ દિવસો શરૂ થશે
12 જુલાઈ 2022ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરતા જ મિથુન અને તુલા રાશિના જાતકો પર ઢૈયા શરૂ થશે. જ્યારે 29 એપ્રિલે શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ આ બંને રાશિઓ પર ઢૈયા હટી ગઇ હતી. પરંતુ હવે આ બંને રાશિના જાતકો એક વખત ફરીથી શનિના પ્રકોપનો સામનો કરશે.