કેટલીક રાશિઓ પર શનિદેવની અસીમ કૃપા રહે છે, જેના કારણે આ રાશિના જાતકો દિવસ રાત તરક્કી કરે છે. કઈ રાશિના જાતકો પર શનિદેવની કૃપા થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.
આ રાશિના જાતકો પર શનિદેવની રહે છે વિશેષ કૃપા.
આ રાશિના જાતકો દિવસ રાત કરે છે તરક્કી.
વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ કર્મ અનુસાર ફળ આપે છે. આ કારણોસર શનિદેવની કુદ્રષ્ટીના કારણે વ્યક્તિએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કુંડળીમાં શનિ શુભ હોય તો શનિની મહાદશામાં વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે, પદ, પ્રાણ, પ્રતિષ્ઠા, માન અને સમ્માન પ્રાપ્ત થાય છે. કેટલીક રાશિઓ પર શનિદેવની અસીમ કૃપા રહે છે, જેના કારણે આ રાશિના જાતકો દિવસ રાત તરક્કી કરે છે. કઈ રાશિના જાતકો પર શનિદેવની કૃપા થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
વૃષભ- આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. શુક્ર આ રાશિના સ્વામી છે. શુક્ર શનિ માટે અનુકૂળ હોવાને કારણે આ રાશિના જાતકો પર શનિદેવની નકારાત્મક અસર પૂર્ણ થતી નથી. શનિની વૃષભ રાશિમાં સાડેસાતી હોય છે, જેથી તેની અસર થોડા સમય માટે જ રહે છે. આ રાશિના જાતકોએ વધુ સમય સુધી પરેશાન રહેવું પડતું નથી.
કર્ક- શનિદેવ કર્ક રાશિના જાતકોથી પરેશાન થતા નથી. આ રાશિના જાતકોને શનિદેવનું માન સમ્માન અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. શનિની સાડેસાતી સમયે કુંડળીમાં ખરાબ દશા, મહાદશા અથવા અંતર્દશા હોય તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકો હંમેશા તરક્કી કરે છે.
તુલા- તુલા શનિની ઉચ્ચ રાશિ છે. આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહેવાથી આ તેઓ હંમેશા ખુશ રહે છે. આ રાશિના જાતકો અન્ય લોકો પર દયા વ્યક્ત કરે તો શનિ તેમની તરક્કીમાં સહાયક સાબિત થાય છે. આ પ્રકારના લોકોને જીવનમાં સફળતા મળે છે અને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે. આ રાશિના જાતકોને તેમની કોશિશોનું પરિણામ મળે છે.
મકર- શનિદેવને મકર રાશિ ખૂબ જ પ્રિય છે. શનિદેવ મકર રાશિના સ્વામી છે, આ કારણોસર આ રાશિના જાતકોએ વધુ પડતી પ્રતિકૂળ અસરનો સામનો કરવો પડતો નથી. જેના ફળ સ્વરૂપે શનિદેવ મકર રાશિના શુભ ભાવમાં હોય તો, મકર રાશિના જાતકોને તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે.
કુંભ- અન્ય રાશિઓની સરખામણીએ કુંભ રાશિના જાતકો પર શનિદેવની ઓછી અસર થાય છે. આ રાશિના જાતકોએ આર્થિક પરેશાનીનો સામનો કરવો પડતો નથી અને તેમના પર માઁ લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)