શનિદેવ જો કોઈની કુંડળીમાં શુભ સ્થાન પર હોય છે તો તે તેને ચરમ સુખ પ્રદાન કરે છે. ત્યાં જ અશુભ હોવા પર જીવનમાં દુખોનો પહાડ તૂટી પડે છે.
આ રાશિના લોકોને નુકસાન નથી કરતા શનિદેવ
આ રાશિના લોકોને ડગલે ને પગલે આપે છે સાથ
જાણૉ તમારી રાશિનું નામ છે કે નહીં
શનિદેવ ન્યાયના દેવતા અને કર્મનું પળ આપનાર છે. ત્યાં જ શનિદેવ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવ ખૂબ ધીમી ચાલ ચાલે છે અને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં અઢી વર્ષનો સમય લે છે. એટલે કે એક રાશિમાં તે લગભગ અઢી વર્ષ સુધી રહે છે.
એવામાં જો તે કોઈની કુંડળીમાં શુભ સ્થાન પર હોય છે તો તેને ચરમ સુખ પ્રદાન કરે છે. ત્યાં જ અશુભ હોવા પર જીવનમાં દુખોનો પહાડ ઉભો કરી દે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમુક એવી રાશિઓ છે જેના પર શનિદેવ સદા મહેરબાન રહે છે.
આ રાશિઓ શનિદેવને છે ખૂબ જ પ્રિય
શનિદેવની ત્રણ રાશિઓ સૌથી પ્રિય માનવામાં આવે છે. આ રાશિઓ છે મકર, કુભ અને તુલા. મકર અને કુભ, શનિદેવનીઆ રાશિઓના સ્વામી રહ્યા છે ત્યાં જ તુલા શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.
શનિદેવની ખાસ કૃપા હોય છે આ બે રાશિ પર
તે ઉપરાંત મીન અને ધન રાશિ પર શનિદેવની ખાસ કૃપા રહેલી હોય છે. આ બન્ને રાશિઓના સ્વામી દેવગુરૂ બૃહસ્પતિ શનિના મિત્ર છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મકર, કુંભ અને તુલાની રાશિની દશા એટલી કષ્ટદાયી નથી હોતી જેટલી બાકી રાશિની હોય છે.
આ રાશિના લોકોને શનિદેવની કૃપાથી મળે છે ખુશીઓ
તુલા રાશિ શનિદેવની પ્રિય રાશિઓમાંથી એક છે. તુલા રાશિ શનિની ઉચ્ચ રાશિ હોય છે. આ રાશિના લોકો પર તે હંમેશા કૃપા રાખે છે. ત્યાં જ લોકોને શનિદેવની કૃપાથી દરેક પ્રકારની ખુશીઓ મળે છે.
શનિદેવને મકર રાશિ પણ ખૂબ જ પ્રિય છે. આ રાશિના સ્વામી શનિદેવ હોય છે. શનિ જ્યારે મકર રાશિના શુભ સ્થાન પર હોય છે ત્યારે આ લોકોને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળે છે.
શનિદેવ કુંભ રાશિના સ્વામી હોય છે. શનિની ખાસ કૃપાથી કુંભ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ ધનની કમી નથી રહેતી. આ લોકોને ઓછી મહેનત પર સારી સફળતા મળે છે.