શનિનુ નામ સાંભળતા જ લોકો ભયભીત થાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિ બધાને પરેશાન કરતો નથી.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ એક ક્રૂર ગ્રહ તરીકે ઓળખાય છે
શનિ દેવ આ બે રાશિના જાતકોને ક્યારેય દુ:ખ આપતા નથી
આ છે શનિની સૌથી પ્રિય રાશિ
શનિ સત્યનુ પાલન કરાવે છે
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ એક ક્રૂર ગ્રહ તરીકે જોઇ શકાય છચે. શનિનો સ્વભાવ સત્યનુ પાલન કરાવવાાનો છે. જ્યાં પણ કોઈ જગ્યાએ ખોટુ થાય છે તો શનિ તેના ગંભીર પરિણામ આપે છે. કારણકે શનિ કર્મફળદાતા પણ છે. મનુષ્યના સારા-ખરાબ કર્મનો હિસાબ કિતાબ શનિ રાખે છે. જેના કારણે શનિ દેવને દંડાધિકારી અથવા કળયુગના ન્યાયાધિશ પણ કહેવામાં આવે છે.
મકર અને કુંભ રાશિના સ્વામી છે શનિ દેવ
મકર રાશિ અને કુંભ રાશિના સ્વામી શનિ દેવ છે. હાલના સમયમાં શનિ દેવ મકર રાશિમાં ગોચર કરી રહ્યાં છે. એટલે કે પોતાની રાશિમાં જ શનિ બિરાજમાન છે. પરંતુ શનિ અત્યારે વક્રી છે. માનવામાં આવે છે કે શનિ જ્યારે વક્રી થાય છે તો સંપૂર્ણ રીતે શુભ ફળ પ્રદાન કરી શકતો નથી. તેથી આ રાશિના જાતકોએ સાવધાન રહેવુ જોઈએ. આ સાથે શનિ કુંભ રાશિના પણ સ્વામી છે. મકર બાદ તેઓ કુંભ રાશિમાં આવશે.
શનિ દેવ આ બે રાશિના જાતકોને પરેશાન કરતા નથી
ધન રાશિ અને મીન રાશિના જાતકોને શનિ દેવ ક્યારેય પરેશાન કરતા નથી. આ રાશિના જાતકો જો નિયમોનુ પાલન કરે છે અને બીજાને નુકસાન પહોંચાડતા નથી તો શનિ દેવ આ રાશિના જાતકોને માન-સન્માન અને ધન પણ પ્રદાન કરે છે.
તુલા રાશિ છે શનિની સૌથી પ્રિય રાશિ
શનિની સૌથી પ્રિય રાશિની વાત કરીએ તો તુલા રાશિ શનિની પ્રિય રાશિ છે. આ રાશિના જાતકોને શનિ દુ:ખ અને કષ્ટ આપતો નથી. તુલા રાશિના જાતકો જો બીજાનુ સારું કરે છે, તો તેમની ઉન્નતિમાં સહાયક બને છે તો શનિ અણધાર્યુ ફળ આપે છે.