શનિએ પૂરા 30 વર્ષ બાદ કુંભ રાશિમાં ગોચર કર્યુ છે. હવે 30 જાન્યુઆરીએ શનિ ગ્રહ અસ્ત થઇ જશે. એટલેકે 15 દિવસની અંદર શનિની ચાલમાં બીજી વખત ફેરફાર જોવા મળશે. જ્યોતિષીઓનુ કહેવુ છે કે શનિના 15 દિવસમાં બે વખત ચાલ બદલવાના સારા સંકેત મળી રહ્યાં છે.
શનિએ પૂરા 30 વર્ષ બાદ કુંભ રાશિમાં ગોચર કર્યુ
હવે 30 જાન્યુઆરીએ શનિ ગ્રહ અસ્ત થઇ જશે
અમુક રાશિઓ માટે અત્યંત ફળદાયી સાબિત થઇ શકે
17 જાન્યુઆરીએ શનિએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો
નવુ વર્ષ 2023નો પહેલો મહિનો શનિની ચાલની દ્રષ્ટીએ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે. 17 જાન્યુઆરીએ શનિ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જે અમુક રાશિઓ માટે અત્યંત ફળદાયી સાબિત થઇ શકે છે.
મેષ રાશિ- શનિનો ગોચર અને શનિની અસ્ત અવસ્થા મેષ રાશિના જાતકો માટે વધુ ફાયદાકારક જણાવવામાં આવી રહી છે. શનિની ચાલ બદલતા જ આવા લોકોને શિક્ષણ અને કારકિર્દી મોરચે મોટો લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જોડાયેલા વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે. ઉધાર આપવામાં આવેલો રૂપિયો પાછો મળશે. નોકરીમાં ઈન્ક્રીમેન્ટ, પ્રમોશનની પ્રબળ સંભાવનાઓ રહેશે. વ્યાપારમાં વધારો થશે.
વૃષભ રાશિ- 17 જાન્યુઆરીએ શનિ ગોચર અને ત્યારબાદ શનિ અસ્ત થવાથી વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો મળી શકે છે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે. આવકમાં વધારાના યોગ છે. કારકિર્દી મામલે તમે સફળતાના શિખરોને સર કરવામાં સક્ષમ રહેશો. પ્રભાવ અને સન્માનમાં વધારો થશે. જીવનમાં આવતી અડચણો ઘણા અંશે દૂર થઇ શકે છે.
કન્યા રાશિ- કન્યા રાશિના જાતકો માટે શનિની ચાલ અત્યંત ખાસ રહેશે. તમારા બધા દુશ્મનોની હાર થશે. રોગમાંથી છૂટકારો મળશે. ઘરના જે સભ્યો બિમારીની ઝપેટમાં હતા તેમના હેલ્થમાં ધીરે-ધીરે ફેરફાર આવતો રહેશે. સાહસ અને પરાક્રમ વધતા રહેશે. કાર્યોમાં આવતી અડચણો દૂર થશે.
મકર રાશિ- 30 જાન્યુઆરીએ શનિ અસ્ત થયા બાદ મકર રાશિના જાતકોને ઘણા સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. આ લોકોની આવકમાં વધારો થશે. આર્થિક મોરચે સ્થિતિ મજબૂત થશે. કાર્ય-વ્યાપારના વખાણ થવાથી પ્રમોશનની સંભાવના વધશે. વેપારમાં પણ લાભના યોગ છે.