હાલમાં જ કોરોના વાયરસને લઈને એક મહત્વનો ખુલાસો આવ્યો છે. આ ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે એયરોસોલના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. એયરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ છે કે વાયરસ હવામાંના સૂક્ષ્મ બૂંદથી મળીને એયરોસોલ બની રહ્યો છે. મેડિકલ એક્સપર્ટ્સના આધારે તેનાથી શ્વાસ લેવાના કારણે ઈન્ફેક્શન થઈ રહ્યું છે.
કોરોના વાયરસને લઈને થયો મોટો ખુલાસો
કોરોના હવામાં તરીને એકથી અન્ય જગ્યાએ ફરે છે
કોરોનાથી હાલ સુધીમાં 811 લોકોના મોત થયા છે
કોરોના વાયરસને લઈને એક નવો ખુલાસો સામે આવ્યો છે જે દુનિયાભરની સરકાર અને મેડિકલ વિશેષજ્ઞોની ઊંઘ ઉડાડી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસ હવે હવામાં રહેનારા સૂક્ષ્મ બૂંદ મળીને ફેલાવવા લાગે છે. હવામાં તરતા વાયરસ અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.
લોકોએ સાવધાની રાખવી જરૂરી
મળતી માહિતી અનુસાર એયરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ છે કે વાયરસ હવામાં રહેતા સૂક્ષ્મ બૂંદથી મળીને એયરોસોલ બને છે. મેડિકલ એક્સપર્ટ્સના આધારે તેનાથી શ્વાસ લેવાના કારણે સંક્રમણ થઈ રહ્યું છે. આ સાથે લોકોને અપીલ કરી છે કે બચવાના ઉપાયો અજમાવો અને જાગરૂકતા વધારો.
આ રીતે ફેલાય છે વાયરસ
સંક્રમિત વ્યક્તિની છીંક કે ઉધરસના કારણે પણ વ્યક્તિને શ્વાસ લેતી સમયે વાયરસ લાગી શકે છે. કોન્ટેક્ટ ટ્રાન્સમિશન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ જેમકે કોઈ વસ્તુને અડીને પોતાના મોઢા, નાક કે આંખને સ્પર્શ કરે છે જેમાં વાયરસ યુક્ત સુક્ષ્મ બૂંદ ચોંટેલી રહે છે.
ચીનની સરકારે લોકોને અપીલ કરી છે કે એક જ જગ્યાએ ભેગા થવાથી બચો. વેન્ટિલેશન માટે બારીઓ ખોલો અને સાફ સફાઈનું ધ્યાન રાખો. ઘરમાં સફાઈ રાખો, દરવાજાના હેન્ડલ અને ટેબલ, ટોઈલેટની સીટ સાફ રાખો.