હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક સુંદરતાના કારણે પ્રસિદ્ધ છે જ્યાં આ પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. આ અદ્દભુત મંદિરો માટે પણ ઓળખવામાં આવે છે. હિમાચલના મંદિર શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયા અનેક મંદિરો છે જે ખૂબ જ પ્રાચીન છે. આજે અમે તમને એક એવા અનોખા મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં પ્રામી યુગલોને આશરો આપવામાં આવે છે. આ મંદિર પ્રેમી યગલો માટે વરદાન માનવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે જે પ્રેમી યુગલ ભાગીને અહીંયા આવે છે એમનો કોઇ વાળ પણ વાંકો કરી શકે નહીં.
વાસ્તવમાં જે મંદિરની વાત કરી રહ્યા છે એ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં શાંઘડ ગામમાં આવેલું છે. આ મંદિર દેવતા શંગચૂલ મહાદેવનું મંદિર છે. અહીંયા ભાગેલા પ્રેમીઓને આશરો આપવામાં આવે છે. આ મંદિર મહાભારત કાલ જેટલું પ્રાચીન છે. પાંડવ કાલીન આ ગામમાં ઐતિહાસિક ઇમારતો પણ મળે છે. માનવામાં આવે છે કે મંદિરમાં કોઇ પણ જાતીનું કોઇ પણ પ્રેમી યુગલ આ મંદિરમાં સહારો લઇ શકે છે. આ શંગચૂલ મહાદેવ મંદિરની સીમામાં પ્રવેશ કરતાં જ એને ભગવાનની કૃપા મળે છે. જેનાથી એમને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે નહીં. પરિવારના લોકો પણ એમને નુકસાન કરી શકતા નથી. આ મંદિરનો વિસ્તાર આસરે 100 વીઘામાં ફેલાયેલો છે. જેવું કોઇ પ્રેમી યુગલ આ ઓરણમાં પ્રવેશ કરી લે છે ત્યારબાદ એ આ મંદિરના દેવતાનો આશરો મેળવી લે છે.
અહીંયા ભાગીને આવેલા પ્રેમી યુગલના મામલાનો જ્યાં સુધી ઉકેલ આવતો નથી ત્યાં સુધી મંદિરના પંડિત પ્રેમી યુગલોનું ધ્યાન રાખે છે. આ પરંપરા અનુસાર ગામમાં પોલીસના આવવા પર પણ પ્રતિબંધ છે. આ સાથે જ દારૂ સિગરેટ અને ચામડાની વસ્તુ લઇને આવવા પર પ્રતિબંધ છે. આ મંદિરમાં કોઇ પણ હથિયાર સાથે પ્રવેશ કરી શકતું નથી અને કોઇ પણ ઊંચા અવાજે વાત પણ કરી શકતું નથી.