ગુજરાતના રાજકારણમાં થોડાક સમય બાદ કંઈક બદલાવ જોવા મળી શકે તેમ છે. શંકરસિંહ વાઘેલાથી ભાજપ સરકારનું ટેન્શન વધે તેવા સમાચાર આવ્યા છે
પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે શંકરસિંહ વાઘેલાએ યોજી બેઠક
રાકેશ ટીકેતના ગુજરાત પ્રવાસને લઈ બેઠકમાં કરાઇ ચર્ચા
સમય આવે ત્યારે બતાવીશ -વાઘેલા
ગુજરાતના રાજકારણમાં કોગ્રેસ ધીરે ધીરે નાશઃ પ્રાય બની રહ્યુ છે ત્યારે AAP સહિતની નેશનલ પાર્ટીઓ કોંગ્રેસની જગ્યા લેવા થનગની રહી છે એવામાં શંકરસિંહ વાઘેલા તરફથી ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાત અને આ કોંગ્રેસ પક્ષને જોઈન કરવાને લઈને મહત્વની વાત સામે આવી છે.
બનાસકાંઠાના પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે શંકરસિંહ વાઘેલાએ બેઠક યોજી હતી. રાકેશ ટીકૈતના ગુજરાત પ્રવાસને લઈ બેઠકમાં મહત્વની ચર્ચાઓ કરાઈ હતી.
શું કહ્યુ શંકરસિંહ વાઘેલાએ
શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા રાજસ્થાનની નજીક જિલ્લો છે. રાજસ્થાનથી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. સરકારે ખેડૂતોને મોટો ફાયદો થશે તેવા વાયદા કર્યા છે. બનાસકાંઠાના ખેડૂતો બટાકા રોડ પર નાખી રહ્યા છે. તંત્ર મંજૂરી ન આપે તો પણ ગુજરાતમાં પ્રવાસ યોજાશે. જો કે કોંગ્રેસમાં જોડાવાની વાત પર શંકરસિંહ વાઘેલાએ મૌન સેવી લીધુ હતુ અને જણાવ્યું હતુ કે, સમય આવે ત્યારે બતાવીશ. અત્યારે એ સમય નથી.
કઈ તારીખે આવશે ગુજરાત
સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતગુજરાત આવશે. રાકેશ ટિકૈત 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.
5 એપ્રિલે મા ઉમિયાના શરણે
ટિકૈત ઊંઝામાં ઉમિયા માતા મંદિરે પણ શિશ ઝુકાવશે અને 5 એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત 5 એપ્રિલના કરમસદ સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે