કપાળ પર તિલક અને માથા પર બ્રાહ્મણની જેમ ચોટી રાખનાર સંજય દત્તનો લુક ઘણા લોકોને ગમ્યો છે. પણ આ સાથે જ ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે ફિલ્મ શમશેરા (Shamshera)માં સંજય દત્તનો આ લુક હિંદુ ધર્મનું અપમાન કરી રહ્યું છે
કપાળ પર તિલક અને માથા પર બ્રાહ્મણની જેમ ચોટી રાખનાર સંજય દત્તનો લુક ઘણા લોકોને ગમ્યો
ધર્મપ્રેમી લોકો કહે છે સંજય દત્તનો આ લુક હિંદુ ધર્મનું અપમાન કરી રહ્યું છે.
ફિલ્મ શમશેરા (Shamshera) ૨૨ જુલાઈ ૨૦૨૨ના દિવસે રીલીઝ થવા જઈ રહી છે
રણબીર કપૂર(Ranbir Kapoor)ની ફિલ્મ શમશેરા (Shamshera)નું હાલ જ ટ્રેલર રીલીઝ થયું છે અને લોકોને આ ટ્રેલ ખુબ જ પસંદ આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રણબીર કપૂર(Ranbir Kapoor)ની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રીલીઝ થયું અને એ ટ્રેલર પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતું. બંને ટ્રેલર જોઇને લોકો કહી રહ્યા છે બોલીવુડ અને રણબીરનો જમાનો ફરી આવી રહ્યો છે. હાલ રણબીર કપૂર(Ranbir Kapoor)ની ફિલ્મ શમશેરા (Shamshera)ના ટ્રેલર વિષે વાત કરીએતો તેમાં દરેના ઇન્ટેન્સ રોલથી લીઓને વીએફએક્સ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે પણ દરેક સારી વસ્તુમાં લોકોને ખામી પણ તુરંત દેખાઈ આવે છે અને એવું જ કૈંક આ ટ્રેલર સાથે થયું છે અને એ એક વાતને કારણે લોકો સીધી આ સીલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
જો તમે પણ આ ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો તમે તેમાં રણબીર કપૂર(Ranbir Kapoor)ને લાંબા વાળ-દાઢી વાળો ઇન્ટેન્સ લુક જોયો હશે. ત્યાં જ સંજય દત્ત પણ આ ફિલ્મમાં એક ખતરનાક વિલનની ભૂમિકા નિભાવતા નજર આવ્યા છે. એમના એ કિરદારનું નામ છે શુદ્ધ સિંહ. આ ફિલ્મમાં તેઓ બ્રિટીશ જમાનાના એ પોલીસકર્મી બતાવવામાં આવ્યા છે નિર્દોષ લોકો પર અત્યાચાર કરે છે. કપાળ પર તિલક અને માથા પર બ્રાહ્મણની જેમ ચોટી રાખનાર સંજય દત્તનો લુક ઘણા લોકોને ગમ્યો છે.
પણ આ સાથે જ ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે ફિલ્મ શમશેરા (Shamshera)માં સંજય દત્તનો આ લુક હિંદુ ધર્મનું અપમાન કરી રહ્યું છે. બસ આ જ કારણે હાલ સોશ્યલ મીડિયા પર #BoycottShamshera ટ્રેન્ડ કરી રહ્યું છે અને સાથે જ ઘણા ધર્મ પ્રેમી લોકો ગુસ્સાવાળી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે સાઉથની ફિલ્મો લોકોને પસંદ આવે છે કારણકે એ લોકો આપણા દેવી-દેવતાનું સન્માન જાળવી રાખે છે પણ આ ફિલ્મમાં એ નથી થયું. ત્યાં જ બીજા લોકો એમ કહેતા પણ નજરે ચઢ્યા કે આ ફિલ્મ હિંદુની ભાવનાને ઠેશ પંહોચાડવા માંગે છે, બોલીવુડમાં હંમેશા હિંદુઓને વિલન જ બતાવવામાં આવ્યા છે.
રણબીર કપૂર(Ranbir Kapoor)ની ફિલ્મ શમશેરા (Shamshera)ને કરણ મલ્હોત્રએ નિર્દેશિત કર્યું છે અને આદિત્ય ચોપડા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર(Ranbir Kapoor) અને સંજય દત્ત સિવાય વાણી કપૂર, આશુતોષ રાણા, સૌરભ શુક્લા અને રોનિત રોય પણ નજર આવશે. રણબીર કપૂર(Ranbir Kapoor)ની ફિલ્મ શમશેરા (Shamshera) ૨૨ જુલાઈ ૨૦૨૨ના દિવસે રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દી,તમિલ અને તેલુગુ ભાષામાં પણ રીલીઝ કરવામાં આવશે.