યાત્રાધામ શામળાજી ખાતે ગુજરાત સરકાર દ્વારા બે દિવસીય શામળાજી મહોત્સવ ઉજવાયો પ્રથમ દિવસે રાજ્ય માંથી આવેલા કલાવૃંદોએ સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કલાના કામણ પાથર્યા.
બે દિવસીય કલા મહોત્સવમાં રાજ્યમાંથી જુદાજુદા કલાવૃંદ ભાગ લેશે
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયો શામળાજી મહોત્સવ
રાજ્ય માંથી આવેલા કલા વૃંદોએ ભક્તોને મંત્ર મુગ્ધ કર્યા
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક વિભાગ તેમજ અરવલ્લી જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ શામલાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવ જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગા બાદકર ,ડીડીઓ અનિલ ધમેલીયા ,જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.
મહોત્સવ ના પહેલા દિવસે કુ.સુષ્મા મકવાણા નૃત્ય સંગીની ડાન્સ ક્લાવૃંદ અમદાવાદ દ્વારા કૃષ્ણ ગાથા ઉપર નૃત્ય કરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા આ ઉપરાંત ડાંગી નૃત્ય, મિશ્ર રાશ, કથ્થક, સિદ્દી ધમાલ નૃત્ય જેવા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે હજારો ભકતોએ મહોત્સવનો લાભ લીધો હતો.