બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ, સિલેક્શન પર સવાલ ઉઠાવતા બોલ્યા હર્ષલ પટેલની જગ્યાએ શમીને લેવાની જરૂર હતી..
ટી-20 વર્લ્ડ કપમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું પુનરાગમન થયું
આખરે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દીધી છે.બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન અને કેએલ રાહુલને વાઈસ કેપ્ટન બનાવાયો છે. સૌથી મોટી વાત જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. ટી-20 વર્લ્ડ કપમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું પુનરાગમન થયું છે, જેઓ ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર હતા. પરંતુ બંને હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ફિટ થઈ ગયા છે.
Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot
હર્ષલ પટેલની જગ્યાએ શમી
એવામાં ભારતના ભૂતપૂર્વ ઓપનર શ્રીકાંતે સોમવારે કહ્યું હતું કે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને આવનાર T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમનો હિસ્સો હોવો જોઈએ.' શ્રીકાંત બોલર હર્ષલ પટેલની જગ્યાએ શમીને ટીમમાં રાખવા માંગે છે. આ સાથે અઝહરુદ્દીને ટ્વીટ કર્યું હતું કે 'શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને મુખ્ય ટીમમાંથી બહાર થતા જોઈને હું ચોંકી ગયો છું.'
ટીમની જાહેરાત પછી 'સ્ટાર સ્પોર્ટ્સ'ની 'ફોલો ધ બ્લૂઝ' પર પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષે કહ્યું, "જો હું પસંદગી સમિતિનો વર્તમાન અધ્યક્ષ હોત તો શમી ચોક્કસપણે ટીમમાં હોત."
આ સાથે જ એમને કહ્યું હતું કે, ' આપણે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલીયામાં રમીશું, શમી પાસે સારી ગતિ અને બાઉન્સ મેળવવાની ક્ષમતા છે. તે સ્વિંગ કરીને અને શરૂઆતી વિકેટ પણ લઈ શકે છે. હું હર્ષલ પટેલની જગ્યાએ શમીને ટીમમાં રાખત. હર્ષલ પટેલ સારો બોલર છે એમાં કોઈ શંકા નથી પણ સંજોગો અનુસાર મોહમ્મદ શમી વધુ સારો ખેલાડી છે.'