ભારત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી આગળ છે અને હવે પાંચમી અને આખરી માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમ સિલેક્શન કેપ્ટન કોહલી માટે મોટો પ્રશ્ન રહેશે
ભારત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી આગળ નીકળી ગયું છે. પાંચ મેચની શ્રેણીની આખરી મેચ હજુ બાકી છે. બંને ટીમો વચ્ચે આ મેચ નિર્ણયક સાબિત થવાની છે ત્યારેબન્ને ટીમોએ પોતાના બેસ્ટ ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતરવાની તૈયારી કરી લીધી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં થશે ફેરફાર?
વિરાટ કોહલી ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરે તેવી સંભાવના છે. ચોથી ટેસ્ટમાં ભારતના અનુભવી બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ ટીમમાં ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે તેણે પણ શાનદાર પ્રદર્શન કરતાં ભારતની ટીમમાં સ્થાન મજબૂત કરી લીધું છે, ભારતની જીતમાં ઉમેશનો મોટો ફાળો રહ્યો હતો તેણે સમયાંતરે વિકેટ્સ લેવાની સાથે કેપ્ટન જો રૂટની મહત્વની વિકેટ પણ પ્રથમ ઇનિંગમાં ઝડપી હતી.
સિરાજનું સામાન્ય પ્રદર્શન
ત્રીજી અને ચોથી ટેસ્ટમાં મહોમ્મદ સિરાજ ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. સિરાજને વિકેટ્સ પણ મળી નહોતી અને હવે ફરી ટીમમાં શમીની વાપસી થશે તો તેણે પડતો મૂકવો પડે એવી સ્થિતિ સર્જાઇ ગઈ છે. ત્યારે હવે વિરાટ કોહલી માટે દુવિધા સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
શમી મેચવીનર ખેલાડી
માન્ચેસ્ટરમાં યોજાનાર પાંચમી અને આખરી ટેસ્ટમાં મોહમ્મદ શમી રમે તો ભારતની ટીમની સ્ટ્રેન્થ ડબલ થઈ જશે. ભારત પાસે બૂમરાહ, ઉમેશ અને શમી જેવા ઘાતક ફાસ્ટ બોલર્સ હોય તો ઈંગ્લેન્ડને જીતવું અઘરું પડી જશે. જો આવું થશે તો ભારત ઈંગ્લેન્ડ સામે 14 વર્ષ બાદ સીરિઝ જીતી લેશે.