આંધ્રપ્રદેશમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમ વિદાયના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. જે જોઈને રૂવાંડા ઉભા થઈ જાય અને એકવાર તો કહી જ દેવાય કે શરમ કરો, મોતનો તો મલાજો પાળો.
આંધ્રપ્રદેશમાં શરમજનક અને અમાનવીય ઘટના
કોરોના સંક્રમિતોના મૃતદેહને JCBથી સ્મશાન લઇ જવાયા
આંધ્રપ્રદેશમાં અમાનવીયતા પર લોકોમાં રોષ
દેશભરમાં કોરોના વાયરસના કહરેના કારણે મૃત્યદર વધી રહ્યો છે. અને કોરોનથી મોત બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક અલગ ગાઇડલાઇનને ફોલો કરવાની હોય છે. જો કે આંધ્રપ્રદેશમાં એક શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે. જેમાં કોરોના સંક્રમિતોના મૃતદેહને JCB દ્વારા સ્મશાનમાં લઇ જવામાં આવી રહ્યાં છે.
આ મામલો આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ઉદયાપુરમ વિસ્તારની છે. જ્યાં એક વૃદ્ધના મૃતદેહને JCB દ્વારા સ્મશાન લઇ જવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વીડિયો સામે આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે સમગ્ર મામલો સામે આવતા આંધ્રપ્રદેશ સરકારે તપાસના આદેશ આપ્યા છે.