જ્યોતિષમાં શુભ-અશુભની માન્યતા પ્રચલિત છે. શુભ એટલે કે ભવિષ્યમાં થતી શુભ ઘટનાઓના સંકેત અને અશુભ એટલે કે ભવિષ્યમાં થતી અશુભ ઘટનાઓની સંભાવનાઓ.. દૈનિક જીવનમાં થતી નાની-નાની વાતોમાં શુભ-અશુભ છૂપાયેલા રહે છે. ગરૂડ પુરાણ અનુસાર ઘણા એવા શુભ-અશુભ સંકેતો બતાવવામાં આવ્યા છે જેનાથી ઘરથી નીકળતા સમયે ખબર પડી જાય છે કે દિવસમાં ઘન લાભ થશે કે નહી. જાણો આ સંકેતો કયા-કયા છે...
ઘરમાંથી બહાર નીકળતા સમયે જો કોઇ નાના છોકરી હસતી દેખાય તો આ શુભ કહેવાય છે. આવું થવા પર દિવસે ધન લાભ થવાનો યોગ બની જાય છે.
ઘરથી નીકળતા સમયે પાણીથી ભરાયેલા કળશ લઇને જતી યુવતી દેખાઇ જાય તો શુભ શકુન માનવામાં આવે છે. આ લક્ષ્મીજીની પ્રસન્નતાનો સંકેત છે.
જો કોઇ આવશ્યક કામ માટે બહાર જઇ રહ્યા છો અને સાફ-સફાઇ કરનાર કોઇ વ્યકિત દેખાઇ જાય તો આ ખૂબ જ સારો સંકેત સાબિત થાય છે. આવું થવા પર ધન સંબંધિત કામમાં સફળતા મળવાની સંભાવવા વધી જાય છે.
ઘરેથી નીકળતા સમયે કૂતરુ ઉંદર નીલકંઠ પક્ષી જોવા મળે તો સમજી લેવું કે ધન લાભ થઇ શકે છે.
કોઇ યાત્રા પર જતાં સમયે શંખ અથવા તો મંદિરના ઘંટની અવાજ સંભળાય તો આ સારી વાત છે. આવું થવા પર યાત્રા સફળ બને છે. જો કોઇ વ્યકિતની સાથે આ પાંચમાંથી કોઇ પણ ઘટના બને છે તો ભવિષ્યમાં કંઇ સારું થવાનો યોગ બની શકે છે.