સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ અને અભદ્ર ભાષાનો મામલે રાજ્યસભામાં નિવેદન આપતાં કહ્યું કે, સોશિયલ મીડિયા પાવરફુલ પ્લેટફોર્મ છે. પરંતુ તેમાં ફેક એકાઉન્ટોના માધ્યમથી જુઠ્ઠાણા ફેલાવાય છે. આ અંગે સરકાર સામે કંઈ બોલે તો રાષ્ટ્રદ્રોહ થઇ જાય છે.
જ્યારે બીજા નેતા સામે અભદ્ર ભાષાનો ઉપયોગ થાય તો કશું જ નહીં. નકલી ઓળખથી અભદ્ર ભાષાઓનો ઉપયોગ છેતરપીંડી કહેવાય. આવા ફેક એકાઉન્ટોને રોકવા સરકાર પાસે શું પ્લાન છે? તેનો જવાબ શક્તિસિંહે માગ્યો હતો.
જેના જવાબમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સાંસદનો સવાલ સાચો છે. જે લોકો સોશિયલ મીડિયામાં ખોટા એકાઉન્ટ દ્વારા કાર્યરત છે. તેના માટે નવી ગાઈડલાઈનમાં તેનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા કંપની વોલેન્ટરી વેરિફિકેશન કરશે. પોતાના યુઝર્સ પાસેથી. જેના માટે કોઈ દબાવ હશે નહીં.