અમદાવાદઃ બીનગુજરાતીઓ પર થયેલા હુમલા મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને નોટિસ પાઠવી હતી. માનહાનીનો કેસ કરતા પહેલા શક્તિસિંહે CM રૂપાણીને નોટિસ પાઠવી.
CM રૂપાણીને નોટિસ આપવા મુદ્દે ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે શક્તિસિંહે બંધ બેસતી પાઘડી પહેરી છે. આક્ષેપો કરીને નામના મેળવવા કોંગ્રેસના નેતા જેમ તેમ નિવેદનો કરે છે. પ્રાંતમાં અશાંતિ ફેલાવવા કોંગ્રેસ જ જવાબદાર છે. કોંગ્રેસે પકડાયેલા નેતાઓને કેમ ન કર્યા સસ્પેન્ડ?
મહત્વનું છે કે શક્તિસિંહે સીએમને નોટિસ પાઠવતા કહ્યું હતું કે મારા પર આક્ષેપ કરવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને માફી માગવી જોઈએ. જો CM રૂપાણી 2 અઠવાડિયા સુધીમાં માફી નહીં માગે તો શક્તિસિંહે ફોજદારી કેસ કરવા માટે પણ જણાવ્યુ છે.
મહત્વનુ છે કે ગુજરાતમાં બીનગુજરાતીઓ પર થયેલા હુમલા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.